મેહુલ ભટ્ટ દ્વારા
રાજકારણમાં ગમે ત્યારે તખ્તો પલટાતો રહે છે, પવન પોતાની દિશા બદલે તેના કરતા પણ વધુ ઝડપથી રાજકારણમાં દિશા બદલાતી હોય છે, અને દિશા બદલાવાની સાથે જ સમગ્ર દશા પણ બદલાતી હોય છે. રાજ્યસભાની ચુંટણીમાં જો બળવંતસિંહના પાસા પોબારા પડ્યા હોત તો તેમની ઈચ્છા મુજબ તેઓ આજે રાજ્ય સભાના સભ્ય બની ચુક્યા હોત. પરંતુ ગણિત સહેજ ખોટું પડવાના કારણે તેઓ એક ઉદ્યોગપતિને છાજે તે પ્રકારે જીઆઈડીસીમાં ચેરમેનપદે જરૂર બિરાજમાન થઇ ચુક્યા છે.
પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ હવે તેમને આ શિરપાવ આપવા બદલ તેમની પાસેથી કોઇપણ ભોગે સિદ્ધપુર વિધાનસભાની વિધાનસભાની સીટ જીતવાની અપેક્ષા રાખી રહી છે. સિદ્ધપુર વિધાનસભાની બેઠક માટે જે પણ ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેમના અણવર તરીકે બળવંતસિંહે હોદ્દો સંભાળીને કોઇપણ સંજોગોમાં તેમને જીતાડી લાવવાની નૈતિક જવાબદારી સ્વીકારવી પડશે. કુદરતનો ક્રમ પણ અનોખો છે.
જે બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સામે પૂરી કટ્ટરતાપૂર્વક ચુંટણી લડીને તેને ધૂળ ચાટતા કરીને બળવંતસિંહ ચૂટાઈ આવતા હતા, તે જ ઉમેદવારને હવે બળવંતસિંહે પોતાના ખભા ઉપર બેસાડીને ચૂંટી લાવવા પડશે. એટલું જ નહિ પરંતુ મહાભારતના અર્જુનની જેમ પોતાના જ એક સમયના સાથીઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે ભાજપના ઉમેદવારને જીતાડી લાવવા માટે મહાભારતનું એક યુદ્ધ જ લડવું પડશે. હવે માત્ર કાબે અર્જુન લૂટ્યો વો હી ધનુષ્ય વો હી બાણ જેવી કોઈ પરિસ્થિતિ ના સર્જાય જે જ જોવાનું રહે છે.
મહાભારતના અર્જુન જેવી સ્થિતિ સિદ્ધપુરના બળવંતસિંહની …