કોરોનાના બચાવ માટે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય પણ સલાહ સૂચન આપતું રહે છે. તો આયુષ મંત્રાલયે પણ ઘરેલું નુસ્ખાથી કોરોના વાયરસથી બચવાના કેટવાક સરળ અને અચૂક ઉપાય બતાવ્યાં છે. હાલ એલોપેથીમાં કોરોનાની કોઇ ચોક્કસ દવા નથી ત્યારે લોકો કોરોનાથી બચવા માટે જુદા જુદા ઘરેલુ નુસ્ખા અપનાવી રહ્યાં છે. ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા. તુલસીનો ઉકાળો પીવા જેવા ઘરેલું નુસ્ખા છે. બ્રિટનના શોધકર્તાએ પણ આ ઘરેલુ નુસ્ખાના કારગર ગણાવ્યાં છે.
બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં શોધઃ કોગળાને લઇને બ્રિટનની એડિનબર્ગ યુનવર્સિટીની શોધકર્તાએ શોધ અધ્યન કર્યું છે. શોધકર્તાના મુજબ નમકના પાણીથી કોગળા કરવાથી કોરોના સંક્રમણના લક્ષણોને ઓછા કરી શકાય છે. આ સાથે આ નુસ્ખાથી કોવિડ -19 બીમારીના સમયગાળાને પણ ઓછો કરી શકાય છે એટલે કે ઝડપથી કોરોના વાયરસથી છુટકારો મેળવી શકાય છે.