બેટ-દ્વારકાના બે ટાપુઓ પર સુન્ની-મુસ્લિમ વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ બાબતે રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ તથા સાંસદ પરિમલભાાઈ નથવાણીએ ટ્વિટ કરીને સુન્ની વકફ બોર્ડના દાવાને વખોડી કાઢીને તેની ટીકા કરી છે. તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે પણ આ અંગે ટ્વિટ કરીને સુન્ની-મુસ્લિમ વકફ કમિટીના દાવાને આશ્ચર્યજનક ગણાવ્યો હતો અને કૃષ્ણનગરીમાં કોઈપણ દબાણનો અસ્વીકાર કર્યો છે.
How can a Waqf Board claim ownership of two islands in Bet Dwarka, the home of Lord Krishna? It’s shocking indeed; an eye opener! Gujarat High Court, of course, asked the Waqf Committee to rewrite the application! @CMOGuj @trajendrabjp pic.twitter.com/qOxemcvEtO
— Parimal Nathwani (@mpparimal) December 27, 2021
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં સુન્ની-મુસ્લિમ વકફ કમિટી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, બેટ-દ્વારકાના આઠ ટાપુમાંથી બે ટાપુઓની જમીન મૂળ વકફ બોર્ડની છે. આ સાંભળીને જ્જ સંગીતા વિષેને આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું અને નારાજગી વ્યક્ત કરી ટકોર કરતા જણાવ્યું હતું કે, તમે શું બોલો છો તેનું કંઈ ભાન છે…? ભગવાન કૃષ્ણના નગર પર તમારો અધિકાર કેવી રીતે કોઈ શકે…? તેઓએ આ અરજી સાંભળવાનો ઈન્કાર કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ અદાલતે અરજદારોને અરજી સુધારવાનો આદેશ આપ્યો છે.