કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના શપથગ્રહણ પછી સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ અને જેડીએસ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરી છે. આવતી કાલે ચાર વાગે બહુમત પરિક્ષણ કરવાનો આદેશ કર્યો છે. બહુમતિ સાબિત કરવા માટે યેદિયુરપ્પા પાસે 28 કલાકનો સમય છે. વિધાનસભામાં બહુમત પરિક્ષણ માટે પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવશે. ત્યારે પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે ભાજપ આવતી કાલે બહુમતી સાબિત કરવા તૈયા બહુમત પરીક્ષણને લઇને સુપ્રીમ કોર્ટે સૌથી મહત્વનો આદેશ કર્યો છે. સુપ્રીમે કહ્યું કે એંગ્લો-ઇન્ડિયન સભ્યની પણ નિયુક્તિ નહી કરી શકાય. આમ રાજ્યપાલ એંગ્લો ઇન્ડિયન સભ્યની નિયુક્તિ કરી શકશે નહીં. જેમાં યેદિયુરપ્પા કોઇ નીતિવિષયક નિર્ણય લઇ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ગઇકાલે યેદિયુપ્પાએ 4 આઇપીએસ અધિકારીઓન બદલી કરી હતી.જસ્ટિસ સીકરી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ બોબડેના ત્રણ જ્જની બેચ આ મામલે સુનાવણી કરી. કોંગ્રેસ-જેડીએસદ્વારા ભાજપને સરકાર બનાવવાના આમંત્રણના રાજ્યપાલના નિર્ણયને પડકાર્યો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.