લીંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા પરવાનેદાર અને કોમ્પ્યુટર ઓપરેટર નો રિપોર્ટ પોઝીટીવ આવતા અન્ય પરવાનેદારો માં ભયનો માહોલ વ્યાપી ગયો છે.સુરક્ષા અને સલામતી ને લઈ આજ રોજ ગુજરાતભર ની મોટાભાગની સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાળ પાડી સેફટી કીટ ની માંગ કરી છે.સાથે જ ગોડાઉન પરથી આપવામાં આવતો અનાજનો જથ્થો એકસાથે આપવાની માંગણી કરવામાં આવી છે.દુકાન પર અનાજ લેવા માટે હજારો રેશનકાર્ડ ધારકો નો ઘસારો રહેતો હોય છે ,ત્યારે કોણ વ્યક્તી ક્યાંથી આવ્યો હોય છે તેની જાણ સંચાલક ને રહેતી નથી.આ સમયે સંચાલક ના આરોગ્ય સામે પણ પ્રશ્ન ઉભા થાય છે.જે રીતે લીંબાયત ના. પરવાનેદાર નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેને જોતા અન્ય સસ્તા અનાજની દુકાનના પરવાનેદારો માં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.જ્યાં રાજ્ય સરકાર પાસે સેફટી કીટ અને અનાજનો પૂરતો જથ્થો એકસાથે ફાળવણી કરવા અંગે માંગ કરવામાં આવી છે.