ગરીબો પછી મધ્યમવર્ગના પરિવારોને આ ચીજવસ્તુઓ મફત મળશે.
ગાંધીનગર – આગામી 13 એપ્રિલ 2020 થી રાજ્યના એપીએલ 1 એવા 60 લાખ કાર્ડ ધારકોનેવિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. આ અનાજ 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તાઅનાજ ની દુકાનો પરથી વિતરણ કરાશે.
આવા પરિવારોને ઓળખ ના પુરાવા તરીકે એપીએલ 1 કાર્ડ સાથે આધાર કાર્ડ લઈ જવાનુંરહેશે. 13 એપ્રિલ થી 17 એપ્રિલ એમ પાંચ દિવસમાં આ અનાજ વિતરણ પૂર્ણ કરવામાંઆવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં નિર્ણય લઈને રાજ્યના એપીએલ 1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારોના અંદાજે 2.50 થી 3 કરોડ લોકો ને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજઆપવાની જાહેરાત કરી હતી.
આ નિર્ણયને પગલે હવે 13 એપ્રિલ થી આવા કાર્ડ ધારકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં. 3 કિલોચોખા, 1 કિલો દાળ. એક કિલો ખાંડ અને 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે.