ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા સતત વિવાદમાં રહી છે પછીએ બિનસિચવાલયની પરીક્ષા હોય કે વનરક્ષકની તમામમાં પેપર ફૂટવાના કિસ્સો બની ચુક્યા છે થોડાક સમય આગાઉ રાજ્યસરકારે દ્ઘારા રદ કરાયેલી બિનસિચાલય ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સરકારે 24 એપ્રિલ યોજાવાની જાહેરાત કરી છે સતત વિવાદોના પર્યાવી બનેલા આશિત વોરાના કાર્યકાળના દરમિયાન થયેલી બિનસચિવાલયની પરીક્ષા પેપર ફૂટવાની ઘટનાને લઇ સરકારની પણ ચારેકોર ટીકા થઇ હતી જેના લઇ સરકારે આસિત વોરાનું રાજીનામુ લઇ અને અધિક સચિવ વિકાસ સહાયને આ પરીક્ષાના આયોજનની જવાબદારી સોંપી હતી 24 એપ્રિલ રવિવારના રોજ રાજ્યના 32 જિલ્લાઓમાં બિનસચિવાલય પરીક્ષાનું આયોજન કરાયું છે.
જેમા 3,234 કેન્દ્ર પર 10 લાખથી વધુ ઉમેદવારો બિનસચિવાલય કલાર્કની પરીક્ષા આપશે તમામ કેન્દ્ર પર CCTVથી ખાસ મોનિટરિંગ કરાશે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને ફોન લઇ જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યુ છે ભૂતકાળમાં થયેલી પેપરલીંકની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે પૂરતી તકેદારી તંત્ર દ્ઘારા રાખવામાં આવશે તેવી ખાતરી રાજ્ય સરકાર દ્ઘારા આપવામાં આવી છે આ વખતે પરીક્ષા સંપૂર્ણ પારદર્શકતા સાથે યોજાશે લેભાગુ તત્વો સામે પોલીસની ચાંપતી નજર રહેશે હવે રાજ્ય સરકાર પણ આ બાબતે કોઇપણ પ્રકારે બાંધછોડ કરવા માગતી નથી પરીક્ષા કેન્દ્ર પર પોલીનો ચુસ્ત બંદોબસ્ત રહેશે કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાન બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે