પાટીદારોના ગઢ એવા જળક્રાંતિ મેદાનમાં આજે સાંજે 7 કલાકે રાહુલની સભા યોજાશે નવસર્જન ગુજરાત અભિયાન હેઠળ દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વરાછા ધરમનગર રોડ પર આવેલા જળક્રાંતિ મેદાનમાં જાહેર સભાને સંબોધવાના છે. આ માટેની તમામ તૈયારીઓ છેલ્લા ચારેક દિવસથી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. આ સભા માટે દરેક વિધાનસભામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી રહ્યા છે
આજે રાહુલ ગાંધીની સુરતમાં જાહેરસભા છે. જ્યારે બીજી તરફ ‘પાસ’ના સંયોજક હાર્દિક પટેલ પણ રાજદ્રોહના કેસમાં કોર્ટમાં તારીખ હોવાથી સુરતમાં જ હાજર રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા મૂજબ આ બન્ને સુરતમાં જ હોવા છતાં બન્ને વચ્ચે કોઈ મુલાકાત થવાની શક્યતા નથી. પાટીદારોને અનામત કેવી રીતે મળી શકે તે અંગે કપિલ સિબ્બલ જેવા બંધારણના નિષ્ણાતની સલાહ બાદ 6 નવેમ્બર પછી કોંગ્રેસને સમર્થન આપવું કે નહીં તે અંગે ‘પાસ’ દ્વારા નિર્ણય લેવામાં આવશે..
રાહુલની 3 નવેમ્બરની સુરતની સભામાં જ હાર્દિક કોંગ્રેસને ખુલ્લો ટેકો આપવાની જાહેરાત કરવાના હતા. પરંતુ હવે તે 6 નવેમ્બર પછી કરવામાં આવશે.
રાજ્યના રાજકીય એપી સેન્ટર સમાન ગણાતો સુરતનો વરાછા રોડ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે ભાજપના ગઢમાં યોજાયેલી કોંગ્રેસની આ જાહેરસભા સફળ જાય છે કે નિષ્ફળ તેના પર કોંગ્રેસનું રાજકીય ભાવિ આકાર લેશે તેવું જાણકારો કહી રહ્યા છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.