ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો. પરંતુ રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ બારે વરસાદની આગાહી કરવામાં આવી.
હવામાન વિભાગનું કહેવુ છે કે, 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે ઘટેલી તીવ્રતા સાથે કચ્છને મા ભારે વરસાદ પડશે. વાયુની અસર સોમવાર સાંજથી અસર વર્તાવાની શરૂઆત થશે. જેથી કેટલાક વિસ્તારમાં પાંચ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.
આ પહેલા કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયે ચેતવણી આપી હતી કે વાયુ વાવાઝોડુ તેની ધરી બદલી કચ્છમાં ગમે ત્યારે ત્રાટકીને વિનાશ વેરી શકે છે. જોકે રાજ્ય સરકારની હવામાન વિભાગના સંકલનમાં ગતિવિધિઓ પર ચાંપતી નજર છે.