ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી PM મોદી સરકારને રોજ અેક સવાલ પુછવાનો કાર્યક્રમ શરુ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી અા સિલસિલો યથાવત રહેશે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૨ વર્ષોનો હિસાબ, ગુજરાત માગે જવાબ અભિયાન અંતર્ગત આજે PM મોદીને
રાહુલનો નવમો સવાલ હતો ખેડૂતો સાથે સાવકો વ્યવહાર કેમ? ન કર્યું દેવું માફ, ન આપી પાકની યોગ્ય કિંમત, પાક વીમાની રકમ પણ ન મળી, ટ્યૂબવેલની વ્યવસ્થા પણ ન થઈ, ખેતી પર ગબ્બરસિંહનો માર, જમીન છીનવી અન્નદાતાને કર્યા બેકાર, PM જવાબ આપે, ખેડૂતો સાથે સાવકો વ્યવહાર કેમ?
તમને જણાવી દઈએ કે રાહુલે ક્યા ક્યા સવાલો પૂછ્યા હતા. રાહુલ ગાંધીએ અાઠમા સવાલમાં PM મોદીને કુપોષણ અને અદાણી મુદ્દે સવાલ પૂછ્યો હતો. રાહુલનો સાતમો સવાલ હતો બસ અમીરો કી હોગી ભાજપ સરકાર? રાહુલ ગાંધીએ પાંચમા સવાલમાં ફિક્સ-કોન્ટ્રાક્ટરોને રૂ. 5,500-10,000 વેતન જ કેમ? તે સવાલ પૂછ્યો હતો.રાહુલનો પાંચમો સવાલ હતો ગુજરાતની બહેનોને કર્યો માત્ર વાયદો? રાહુલનો ચોથો સવાલ હતો ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન કઈ રીતે થશે સાકાર? રાહુલ ગાંધીએ ત્રીજા સવાલમાં પૂછ્યુ હતુ કે વીજળી ખરીદી ખાનગી કંપનીઓના ખિસ્સા કેમ ભર્યા? રાહુલ ગાંધીએ બીજા સવાલમાં પૂછ્યું હતુ કે ગુજરાતની જનતાપર અાટલું દેવુ કેમ? રાહુલ ગાંધીએ પ્રથમ સવાલમાં 2012માં વચન આપ્યું હતું કે, 50 લાખ નવા ઘર બનશે. 5 વર્ષમાં માત્ર 4.72 લાખ ઘર બન્યા. પ્રધાનમંત્રીજી અમને જણાવો કે શું આ વચન પુરું કરતા 45 વર્ષ લાગશે?


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.