કોંગ્રેસે 22 વર્ષમાં સૌપ્રથમવાર ગુજરાતમાં આવી રાજનૈતિક સફળતા તરફ કદમ રાખ્યા હતા.કોંગ્રેસની પકડ મજબૂત થઈ રહી હતી ભાજપ પાસે કોઈ શસ્ત્ર નહતું અેવામાં રાહુલ ગાંધી દ્વારા ગુજરાતના યુવા ત્રિમૂર્તિ દ્વારા ભાજપ વિરુદ્ધ જાતિગત ફોર્મ્યુલાથી ઘેરવાની તૈયારી કરી હતી જે રાજ્યમાં કોંગ્રેસના સત્તાના વનવાસની સમાપ્તિ થશે અેવું લાગી રહ્યું હતું આ બધાં વચ્ચે મણિશંકર અૈયરે કરેલું વિવાદિત નિવેદન જાણેકે ભાજપને સંજીવની અાપી ગયું અૈયરે કરેલું વિવાદિત નિવેદન ગુજરાતમાં રાહુલની મહેનત પર પાણી ફેરવી ગયું.
મણિશંકર અૈયરે નરેન્દ્ર મોદીને નીચ કહેતા કોંગ્રેસ અેક વાર ફરી વિવાદોમાં ફસાયો છે, અા વાતને કોંગ્રેસ પણ સારી રીતે જાણે છે તેથી કોંગ્રેસે તાત્કાલીક મણિશંકર અૈયરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા પણ અા બધુ હવે તીર છુટ્યા પછી પાછા લાવવા જેવી વાત છે. કોંગ્રેસ જે રાજકીય વાતાવરણ ઉભુ કરવા મહેનત કરતો હતો તે ભાજપે પોતાની તરફેણમાં કરી લીધુ છે.
નરેન્દ્ર મોદીઅે તો સુરતમાં કહ્યું પણ ખરું કે અૈયરે મને નીચ જાતીનો કહ્યો, અા મારુ નહી ગુજરાતનું અપમાન છે. મુગલ સંસ્કાર ધરાવતા અા લોકો મારા સારા કપડા જોઈ નથી શકતા. તમે મને ગધેડો, ગંદી નાળીનો કીડો કહ્ય. 18 તારીખે મતપેટી બતાવશે ગુજરાતના પુત્રનું અપમાન કરનારના શું હાલ થાય છે.
રાહુલ ગાંધી સારી રીતે જાણે છે કે છેલ્લા ચાર મહીનામા તેમણે ખુબજ મહેનત કરી હતી, તે મહેનતની અસર સ્પષ્ટ જોઈ શકાતી હતા. કોંગ્રેસે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ સાથે હાથ મિલાવી ભાજપને ટક્કર અાપવાની તૈયારી કરી હતી. જોવાનું અે છે કે શું મણિશંકર અૈયરે કરેલું વિવાદિત નિવેદન ગુજરાતમાં રાહુલની મહેનત પર ફેરવશે પાણી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.