ગુજરાત, હિમાચલ પ્રદેશમાં ભાજપના વિજયથી ગોરખપુરથી પાંચ વખત સાંસદ રહી ચુકેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની છબી નીખરી છે.રાષ્ટ્રીય રાજનીતિમાં યોગીનું કદ વધ્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતના જે વિધાનસભા વિસ્તારોમાં જનસભા કે પછી રોડ શો કર્યા તેમાંથી 25થી વધુ બેઠકો જીતવામાં ભાજપ સફળ થયો.ગુજરાતમાં જ્યાં પણ કર્યો પ્રચાર મોટા ભાગે મળ્યો વિજય. જો કે કેટલીક બેઠકો પર હાર પણ મળી.
હિમાચલ પ્રદેશમાં યોગી આદિત્યનાથ દ્વારા 20 જનસભાઓ કરી હતી. ત્યાંથી પણ સકારાત્મક પરિણામો મળ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જેમ જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગુજરાતમાં તાબડતોબ 35 જનસભાના કરી હતી અને જુદા જુદા વિસ્તારોમાં રોડ શો પણ કર્યા હતા.આ ઉપરાંત તેમણે ગુજરાત ગૌરવ યાત્રામાં પણ ભાગ લીધો હતો.
યોગી આદિત્યનાથે મોટાભાગની જનસભાઓમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાક્યો હતા. તેમણે પૂછ્યું હતું કે હવે મંદિર-મંદિર જઈ રહ્યા છો, તો પહેલા શું કરતા હતા? રામ મંદિર નિર્માણ પર પણ કોંગ્રેસને ઘેર્યા હતા, પરિણામ પરથી સ્પષ્ટ છે કે ગુજરાતની જનતાએ તેમને પસંદ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં 36 જનસભા કરી હતી ત્યાં યોગીએ 35 જનસભા યોજી મતદાતાઓને અાકર્ષિત કર્યા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.