6 ડિસેમ્બરે ડૉ. બી.આર. આંબેડકરના મહાપરિવાર નિર્વાણ દિવસના દિવસે કેન્દ્રની મોદી સરકારે શ્રેષ્ઠ યોજના શરૂ કરશે. આનાથી વિદ્યાર્થીઓને ઘણી સગવડ મળશે.અનુસૂચિત જાતીના વિદ્યાર્થીઓના વિકાસ માટે શ્રેષ્ઠ યોજના સોમાવારે શરૂ કરાશે કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતીના પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં ક્વોલિટી રેસીડેન્સીયલ એજ્યુકેશન અપાવવા માટે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે ‘શ્રેષ્ઠ યોજના’ સોમવારે 6 ડિસેમ્બર શરૂ કરવામાં આવશે.આ આયોજનાથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનું ડ્રોપ આઉટ દરને નિયંત્રિત કરાશે
સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન વીરેન્દ્ર કુમાર જણાવે છે હાઉસિંગ એજ્યુકેશન (શ્રેષ્ઠ) યોજના હેઠળ લક્ષિત વિસ્તારોમાંથી અનુસૂચિત જાતિના હોશિયાર વિદ્યાર્થીઓને વધુ સારા ભવિષ્ય માટે સક્ષમ કરવામાં આવશે. આનાથી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ દરને નિયંત્રિત કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે ડૉ. બી.આર. આંબેડકરની સ્મૃતિમાં 6ઠ્ઠી ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ ઉજવવા માટે તૈયાર છે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કાર્યક્રમો સંસદ ભવનથી શરૂકરવામાં આવશે જ્યાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ પછી બૌદ્ધ સાધુઓ ધમ્મનું પઠન કરશે. ત્યારબાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગીતો અને નાટક વિભાગ દ્વારા સંસદમાં ડૉ.બી.આર. આંબેડકરને સમર્પિત વિશેષ ગીતો રજૂ કરવામાં આવશે.