મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર નજર રાખવાના બીજા દિવસે ૩૦ એપ્રિલે તેમના પદ પરથી નિવૃત્ત થશે. બંગાળ, આસામ અને કેરળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આ રાજ્યોમાં 27 માર્ચથી 29 એપ્રિલ સુધી મતદાન થશે. શુક્રવારે વિજ્ઞાન ભવન ખાતે વિધાનસભાની ચૂંટણીઓની તારીખોજાહેર કરતાં અરોરાએ કહ્યું હતું કે, આ તેમની છેલ્લી પત્રકાર પરિષદ છે.
તેમણે કહ્યું કે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેના તેમના કાર્યકાળથી સંતુષ્ટ છે. તેમણે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી સહિત ૧૧ મોટી ચૂંટણીઓ કરી હતી. તેમણે કોરોના વાયરસની મહામારી દરમિયાન બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓના આયોજનને ઐતિહાસિક ગણાવ્યું હતું. અરોરાએ કહ્યું હતું કે, “તમે કહી શકો છો કે મેં સારી ઈનિંગ રમી હતી. મને ચૂંટણી કમિશનરો અને અન્ય સાથીઓનો પણ સારો સહકાર મળ્યો. તેણે તેની માતાએ લખેલઈ સાયરી પણ વાંચી – કિસી સે મહામસુખન નહિ હોતા મહેફિલ મેં પરવાના ,ઉન્હેં બાતે નહિ આતિ જો આપણા કામ કરતે હૈ
કેટલા તબક્કામાં ચૂંટણી ક્યાં યોજાશે?
ચૂંટણી પંચે તમામ રાજ્યોના તબક્કાવાર કાર્યક્રમની જાહેરાત કરી છે. બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આ સાથે આસામમાં ત્રણ તબક્કાની ચૂંટણી થશે. તમિલનાડુ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં એક-એક તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.
ચૂંટણી માટે લેવામાં આવેલા પગલાં
મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ બઁગાળ સહીત ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભા ચૂંટણી નું એલાન કરતા ભરોસો અપાવ્યો કે ચૂંટણી સંપૂર્ણપણે ન્યાયી રહેશે. ઉપરાંત સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરમિયાન, તેમણે કોરોના ચેપના જોખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા સાવચેતીના જરૂરી પગલાં વિશે પણ માહિતી આપી હતી. તેના માટે મતદારો માટે માસ્કની જરૂર પડશે.