પશ્ચિમ યુપીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સંજીવ બાલ્યાન ભારતીય કિસાન યુનિયન નરેશ ટિકૈતને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. કહેવાય છે કે તાજેતરમાં નરેશ ટિકૈતના હાથનું ઓપરેશન થયું હતું.ત્યારે પણ સંજીવ બાલ્યાન તેમની સંભાળ લેવા તેના ગામ પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ટિકૈતે SP-RLD જોડાણને ટેકો આપવાની વાત કરી હતી પણ ત્યાર બાદમાં પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.શિવસેનાના સાંસદ સંજય રાઉતે અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથને લઈને મોટું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશની ટક્કર અને મામલો રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે યોગીજી ગોરખપુરથી લડે કે અયોધ્યાથી લડે.આ તેમનો અધિકાર છે. પરંતુ દેશમાં અરાજકતા, મૃતદેહો ગંગામાં વહેતા જોવા મળ્યા, તેના કારણે જીવતા લોકો તેમને મત નહીં આપે. અખિલેશ યાદવે ચૂંટણી પર ધ્યાન આપવું જોઈએ.અખિલેશ યાદવે પણ બધાને સાથે લઈને આ લડાઈ લડવી પડશે કેમકે અહંકાર દરેક ને ડુબાવી દેશે . લોકો અખિલેશ સામે ઘણી ભાવનાઓ અને અપેક્ષાઓ રાખી રહ્યાં છે