કર્ણાટકમાં આજે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. આજે બપોરે ૨.૦૦ વાગ્યે રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળા રાજભવનમાં નવા પ્રધાનોને શપથ લેવડાવશે. કોંગ્રેસના ૨૨ અને જેડીએસના ૧૨ પ્રધાન હોદ્દો અને ગુપ્તતાના શપથગ્રહણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કુમારસ્વામીએ ૨૩મેના રોજ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. કર્ણાટકના જેડીએસ (૩૮) અને કોંગ્રેસ (૭૮) સાથે મળીને સરકાર બનાવી છે. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન જી. પરમેશ્વર ગઈ કાલે રાત્રે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે હવે દરેક બાબત લગભગ ફાઈનલ થઈ ગઈ છે. અમે અમારા પ્રધાનોના વિભાગોને લઈને પ્રસ્તાવ મોકલી દીધો છે. રાહુલ ગાંધી તેમના પર મંજૂરીની માહોર મારી દેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.