મુંબઇઃ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અને ડિરેક્ટર તથા બોલીવુડ એક્ટર શર્મન જોશી અને માનસી જોશીના પિતા અરવિંદ જોશીએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધાં. અરવિંદ જોશી ગુજરાતી રંગમંચ કરતાં તેમની ફિલ્મોના કારણે વધુ પ્રખ્યાત બન્યા હતાં. તેમણે શોલે, ઇત્તેફાક અને અપમાન કી આગ જેવી બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.
અરવિંદ જોશી પ્રખર નાટ્યકાર પ્રવિણ જોશીના ભાઈ હતા. અરવિંદ જોશીના સંતાન શરમન જોશી અને માનસી જોશી એક સ્ટેજ આર્ટિસ્ટ છે. અરવિંદ જોશી પોતાની ફિલ્મી કારકિર્દી કરતા ગુજરાતી રંગમંચની પ્રતિભાને લઈને વધુ જાણીતા હતા.અરવિદ જોશીએ 1975માં આવેલ ફિલ્મ શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમજ 1969માં આવેલ ફિલ્મ ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતું.
જયારે, અરવિંદ જોશીના દીકરા શરમન જોશી બે દાયકાથી બોલીવુડની અનેક પ્રચલિત અને જાણીતી ફિલ્મો જેવી કે રંગ દે બસંતી, ફરારી કી સવારી અને તાજેતરમાં આવેલ મિશન મંગલમાં કામ કર્યું છે. શરમન જોશીએ જાણીતા ચરિત્ર અભિનેતા અને એક સમયના કુખ્યાત વિલન તરીકે જાણીતા થયેલા પ્રેમ ચોપરાની દીકરી પ્રેરણા ચોપરા સાથે લગ્ન કર્યા છે.