ફરી એક વખત સુપરસ્ટાર રજનીકાંતરાજકારણમાં ઝંપલાવશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. રાજકીય મેદાનમાં ઉતરવાનો ઇશારો ખુદ રજનીકાંતે આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ રાજનીતિમાં નવા નથી, હા ઍલાન કરવામાં થોડું મોડુ થયું.
રજનીકાંતે કહ્યું કે તેઓ 31 ડિસેમ્બરે મોટુ ઍલાન કરશે. હકીકતમાં, રજનીકાંત આ પહેલા અનેક વખત રાજકારણમાં આવવાનો ઈશારો આપ્યો છે તાજેતરમાં તેમણે જણાવ્યું હતું કે, હું આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મારા પ્રશંસકો સાથે મુલાકાત કરીશ અને જ્યારે પણ હું રાજકારણમાં અાવીશ ત્યારે, તમામના પ્રશ્નોના જવાબ આપીશ. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે સુપર સ્ટાર રજનીકાંત તામિલનાડુમાટે કરિશ્માઈ વ્યક્તિત્વ ધરાવે છે.અેમ કહેવું કંઈ ખોટુ નથી કે રજનીકાંત તમીલ લોકો માટે થલાઈવા છે.
તેઓએ તેમના પ્રશંસકો ને કહ્યું કે, ‘મારી પાસે ધીરજ છે, તમારા માટે કામ કરવા કર્તવ્યની ભાવના છે, તમે બધા મારી ખુબ નજીક છો તમારૂ કામ કરો અને તમારો વારો આવશે જ તેની રાહ જુઓ જ્યારે મુશ્કેલી અાવશે ત્યારે અાપણે સાથે મળીને સામનો કરીશું. ‘ તેમણે કહ્યું, ‘જો ભગવાનની ઇચ્છા હશે, તો હું રાજકારણમાં પ્રવેશ કરીશ.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.