દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પદ્માવત’ ના ખૂબ વિરોધ પછી હવે રાજસ્થાનથી જ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી’ માટે બેડ ન્યૂઝ છે. ફિલ્મ ‘પદ્માવત’ ની એકતરફ રાજસ્થાનની શ્રી કરણી સેના વિરોધ કરી રહી છે. તો બીજી તરફ, ‘મણિકર્ણિકા’ નું મોટાભાગનું શૂટિંગ રાજસ્થાનમાં થઇ રહ્યું છે. જયપુરમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યા પછી પ્રાપ્ત માહિતી મુજબ, કંગના જોધપુરમાં શૂટિંગ કરી રહી છે અને તે બહુ જલ્દી બિકાનેરમાં પણ શૂટિંગ શરુ કરવાની છે.
રાજસ્થાનમાં ફિલ્મ પદ્માવતનો વિરોધ તે આધાર પર થયો હતો કે આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ થઇ છે. તેની સાથે ફિલ્મમાં અલાઉદ્દીન ખીલજી અને પદ્માવતી વચ્ચે ડ્રીમ સિક્વન્સ ફિલ્મમાં આવતા પર બબાલ થઇ હતી. જે ફિલ્મમાં હતા પણ નહિ. હવે સોમવારે જયપુરમાં મીડિયા સાથે વાત કરતા સર્વ બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ કહ્યું કે, ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી’ માં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેની સાથે આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈના એક બ્રિટીશ વ્યક્તિ સાથે પ્રેમ પ્રસંગ બતાવવામાં આવ્યો છે. મિશ્રાએ કહ્યું કે, અમને આ માહિતી રાજસ્થાનના અલગ-અલગ ભાગના મિત્રો તરફથી મળી છે, જ્યાં આ ફિલ્મનું શૂટિંગ થયુ છે.
ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી’ નું નિર્દેશન કૃષે કર્યું છે અને કેવી વિજયેન્દ્રએ પટકથા લખી છે. કેવી જેમણે પ્રભાસની બાહુબલી અને બજરંગી ભાઈજાનની સ્ટોરી લખી છે. સંવાદ અને ગીત પ્રસૂન જોશીના છે. ફિલ્મકારોએ ફિલ્મના શૂટિંગ બનારસને પસંદ એટલા માટે કર્યું કારણકે અહીં રાણી લક્ષ્મીબાઈનો એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં વર્ષ ૧૮૨૮ માં જન્મ થયો હતો. કંગનાની આ ફર્સ્ટ ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મ ૨૭ એપ્રિલ ૨૦૧૮ નાં રોજ મોટા પડદા પર રિલીઝ થશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.