અમદવાદાઃ અત્યારે મનોરંજનની દુનિયાના કેટલાક સ્ટાર વિવાદોમાં આવતા હોય છે ત્યારે બોલિવૂડની અભિનેત્રી પાયલ રોહતગી પણ ચર્ચાનો વિષય બની છે. કારણ કે અભિનેત્રી પાયલ રોહતગીને અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. તેના પર સોસાયટીના ચેરમેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપશબ્દો આપવાનો આરોપ છે, પાયલે પછીથી આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.
આ સાથે જ પાયલ પર સોસાયટીના લોકો સાથે વાંરવાર ઝગડો કરવાનો, ચેરમેનને જાનતી મારવાની ધમકી પણ આપવાનો આરોપ છે.પાયલ રોહતગીને અમદાવાદ સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે.
પાયલે સોશિયલ મીડિયા પર ચેરમેન વિરુદ્ધ વિવાદસ્પદ લખાણ લખ્યું હતું.સાથે પાયલે વોટ્સ એપ ગ્રુપમાં અશ્લીલ મેસેજ કરી અપશબ્દો બોલ્યા હોવાનો તબીબે આક્ષેપ કર્યો હતો. કોમન પ્લોટમાં રમવાની વાતને લઈને ઝગડો અને સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ પાયલ રોહતગી દ્વારા આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ અગાઉ પણ સોશિયલ મીડિયામાં કંટ્રોવર્સિઝના કારણે ટ્રોલ થઈ છે. તે સતીપ્રથાની તરફેણ, નોબલ સન્માનિત મલાલા યુસુફઝાઈને અપશબ્દો કહેવા, વીર શિવાજી મહારાજની જાતિ પર સવાલ, કલમ 370ને લઈ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. ફૂડ એપ જોમેટો પર પણ વિવાદીત નિવેદનો આપીને ટ્રોલ થઈ હતી.