અમિતાભ બચ્ચનએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન દરેક જવાનના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ પ્રમાણે અમિતાભ બચ્ચન કુલ બે કરોડ રૂપિયાની મદદ કરવા જઈ રહ્યાં છે.
અમિતાભ બચ્ચન આ આંતકી હુમલાથી ખુબજ દુખી થયા છે. તેના પછી તેમને શહીદોના પરિવારને મદદ કરવો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે. પ્રવક્તાએ કહ્યું કે, અમિતાભ બચ્ચન દરેક શહીદ જવાનના પરિવારને રૂ.5 લાખ આપશે. જોકે આ પ્રક્રિયાને કેવી રીતે અમલમાં લેવી તે વિશે હાલ વિચારણા ચાલું છે. પ્રવક્તા મુજબ આ ઘટનાથી બિગ બી એટલા દુખી થયા છે કે તેમને તેમના બધા ઈવેન્ટ રદ કર્યા છે.