મુંબઈ : બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની બે સરખી દેખાતી તસવીરો શેર કરી છે. અભિનેતાએ તેના ફોલોઅર્સને બંને તસવીરો વચ્ચેનો તફાવત પૂછ્યો છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂરના આ સવાલ પર ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી, જ્યારે તેની બહેન જાન્હવી કપૂરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, જે એકદમ વાયરલ થઈ રહી છે.
અર્જુન કપૂરની તસવીર પર જાહન્વીએ આ પ્રતિક્રિયા આપી હતી
તમને જણાવી દઇએ કે અર્જુન કપૂરે જે તસવીરો શેર કરી છે તેમાં તે મોઢા પર હાથ રાખીને જુલા પર પોઝ આપી રહ્યો છે. અર્જુનની આ તસવીરો અંગે ટિપ્પણી કરતાં જાન્હવીએ લખ્યું કે, રાત્રિભોજન દરમિયાન કપૂરના ઘરે શું ચાલી રહ્યું છે? પહેલી તસવીરમાં તમે વિચારી રહ્યા છો કે મેં જમ્યા પછી ટેબલ પાસે કથક પૂરું કર્યું. બીજી તસવીરમાં, હું ફરીથી ક્યારે પ્રારંભ કરીશ? ” જાન્હવીની આ ટિપ્પણીનો જવાબ આપતાં અર્જુને પણ લખ્યું, ‘વાહ’.
ઘણા ચાહકોએ પણ અર્જુનની તસવીરોમાં ફરક જણાવ્યો છે. ઘણાએ તેમના સ્મિત અને કપાળની રેખાઓ વચ્ચેનો તફાવત પ્રકાશિત કર્યો છે.