‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો માટે એક ખુશખબર છે. દર્શકોમાં લોકપ્રિય દયા એટલે કે દિશા વાકાણી ટૂંક જ સમયમાં આ શોમાં કમબેક કરશે. જોકે, આવા અહેવાલ છેલ્લા ઘણા સમયથી આવી રહી છે પરંતુ આ વખતે શોમાં તારક મહેતાનું પાત્ર ભજવી રહેલા શૈલેશ લોઢાએ આ વાતને સમર્થન આપ્યું છે. એક એવોર્ડ ફંક્શનમાં દયાબેન શોમાં ક્યારે પાછા ફરશે તે અંગેના પ્રશ્નનો શૈલેશ લોઢાએ હકારાત્મક ઉત્તર આપ્યો હતો.
શૈલષ લોઢાએ ( તારક મહેતા) જણાવ્યું હતું કે દિશા વાકાણી શોમાં જરૂરથી જોવા મળશે. ધીરજનું ફળ મીઠું હોય છે, તેમ જ ધીરજનું ફળ ‘દયા’ હોય છે. આમ તેમણે કન્ફર્મ કર્યું કે દયાબેન ખૂબ જલ્દી શોમાં પરત ફરશે.
અગાઉ જાણવા મળ્યું હતું કે, શોના પ્રોડ્યૂસર્સે દિશાને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું છે કે, દિશા 30 દિવસમાં નક્કી કરી લે કે શોમાં પરત ફરવા માંગે છે કે નહીં. જો તે શોમાં પરત ફરવા માંગે છે તો અમે ખૂબ પ્રેમથી તેનું સ્વાગત કરીશું. પરંતુ જો તે એક મહિનામાં શોમાં પરત નહીં ફરે તો તેની જગ્યાએ અન્ય કોઈ આવી જશે.