મુંબઈ : એનસીબી (NCB) દ્વારા આજે (26 સપ્ટેમ્બર) બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરી રહી છે. જેમાં મળતી વિગતો મુજબ, એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રા શ્રદ્ધા અને સારાના કેસની પૂછપરછ માટે એનસીબી બિલ્ડિંગમાં ગયા છે. દીપિકા પાદુકોણ અને કરિશ્મા અહીંની બાકીની ટીમ સાથે કોન્ફરન્સ ચેટ કરી રહ્યા છે. ડ્રગ્સ ચેટ વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, આ પૂછપરછ લાંબી ચાલશે, તેવું લાગી રહ્યું છે.
સારાએ ડ્રગ્સ લેવાની બાબત નકારી કાઢી છે. સારા અલી ખાને એનસીબી તપાસમાં કહ્યું કે, બંને વચ્ચેના સંબંધો કેદારનાથ ફિલ્મના શૂટિંગ દરમિયાન શરૂ થયા હતા. ફિલ્મના શૂટિંગ બાદ તે સુશાંત સાથે કેપ્રી હાઉસના ઘરે સુશાંત સાથે રહેવા પણ ગઈ હતી. બંને 5 દિવસ માટે થાઇલેન્ડના કોહ સમુઈ આઇલેન્ડ ગયા હતા જ્યાં પાર્ટી પણ યોજાઇ હતી. સારાએ કહ્યું કે સુશાંત શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લેતો હતો.
શ્રદ્ધા કપૂરે પણ એનસીબી સામે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન મેં પોતે સુશાંતને વેનિટી વાનમાં ડ્રગ્સ લેતા જોયો છે.
શ્રદ્ધા કપૂરે ડ્રગ્સની કબૂલાત પણ આપી છે. તેમણે કહ્યું છે કે ફિલ્મ છીછોર પછી પાર્ટીમાં ડ્રગ્સ લેવામાં આવ્યું હતું. જોકે તેણે પોતે ડ્રગ્સ ન લીધું હોવાની વાત કરી છે.
દીપિકા પાદુકોણે પણ ડ્રગ લેવાની ના પાડી દીધી છે. જોકે, તેણે કરિશ્માની સામે ડ્રગ્સ વિશે વાત કરવાની કબૂલાત આપી છે.