ગુજરાત સરકારના એક અધિકારીએ દાવો કર્યો છે કે તે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ છે અને તે ઓફિસ નથી આવી શકતા, કારણકે તે વિશ્વના લોકોની અંતરઆત્માને બદલવા માટે તપસ્યા કરી રહ્યા છે. સરદાર સરોવર પુનર્વાસ એજન્સીના અધિકારી રમેશચંદ્ર ફેફરે કારણ જણાવો નોટિસના જવાબમાં કહ્યું કે, તેમની તપસ્યાને કારણે દેશમાં સારો વરસાદ પડી રહ્યો છે. ફેફરને આપવામાં આવેલી નોટિસ અને તેમનો વિચિત્ર જવાબ વાયરલ થઈ ચુક્યો છે. રાજકોટ સ્થિત પોતાના નિવાસસ્થાને મીડિયા સાથેની વાતચીતમાં ફેફરે કહ્યું કે, તમે વિશ્વાસ નહીં કરો પરંતુ હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું અને આવનારા દિવસોમાં હું સાબિત કરી દઈશ. હું માર્ચ 2010માં ઓફિસમાં હતો ત્યારે મને અનુભવ થયો કે હું કલ્કિ અવતાર છુ. ત્યારથી મારી પાસે દિવ્ય શક્તિઓ છે. ફેફરે પોતાના બે પાનાના જવાબમાં કહ્યું કે, હું ઉંમરના પાંચમા દશકમાં પ્રવેશ કરવાની સાથે જ વિશ્વના લોકોની અંતરઆત્માને બદલવા માટે પોતાના ઘરમાં તપસ્યા કરી રહ્યો છુ. હું ઓફિસમાં બેસીને આ પ્રકારની તપસ્યા નથી કરી શકતો. અધિકારીનો દાવો છે કે તેમની તપસ્યાને કારણે જ ભારતમાં સારો વરસાદ પડી રહ્યો છે. રમેશચંદ્રએ કહ્યું કે, હવે આ સરદાર સરોવર પુનર્વાસ એજન્સીએ નક્કી કરવાનું છે કે, એજન્સી માટે મને ઓફિસમાં બેસાડીને સમય પસાર કરવો મહત્વનો છે કે પછી દેશને દુકાળથી બચાવવા માચે કંઈક કામ કરવું. નોટિસ અનુસાર, રમેશ ચંદ્ર પાછલા આઠ મહિનામાં વડોદરા સ્થિત પોતાની ઓફિસમાં માત્ર 16 દિવસ હાજર રહ્યા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.