આખરે પરિવારને સોંપાયો શ્રીદેવીનો મૃતદેહ
મુંબઈ: લાંબો સમય રાહ જોયા બાદ બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીનો પાર્થિવ દેહ આજે રાત્રે મુંબઈ લાવવામાં આવશે. મુંબઈમાં તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન પરિવાર તરફથી એક નિવેદન રજૂ કરી સૂચના આપવામાં આવી છે કે, બુધવાર સવારે લોખંડવાલા સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં તેમના અંતિમ દર્શન કરી શકાશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘ખુશી, જાહ્નવી, બોની કપૂર, કપૂર ફેમિલિ અને અય્યપન પરિવારની તરફથી આ ભાવુક પળમાં પરિવારનો સાથ આપવા માટે મીડિયાના લોકોનો ધન્યવાદ.’ આમાં જણાવવામાં આવ્યું કે, બુધવારે સવારે 9:30 થી 12:30 કલાક દરમિયાન શ્રીદેવીના અંતિમ દર્શન કરી શકાશે. મીડિયાના જે લોકો તેમના અંતિમ દર્શન કરવા ઈચ્છે છે તેઓ કેમેરા અથવા અન્ય કોઈ રેકોર્ડિંગ ડિવાઈસ બહાર જ મૂકીને આવે.
નિવેદનમાં એ પણ જણાવવામાં આવ્યું કે, બપોરે 2 વાગ્યે સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબથી અંતિમ યાત્રા નિકળશે, જે વિલે પાર્લેના પવન હંસ ક્રીમેટૉરિયમ સુધી જશે. ત્યાં જ બપોરે 3.30 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જણાવી દઈએ કે. થોડા સમય પહેલા જ દુબઈ પોલીસે કપૂર પરિવારને શ્રીદેવીનો મૃતદેહ સોંપ્યો છે. દુબઈના ‘ખલીલ ટાઈમ્સ’ની માનીએ તો તેમનો મૃતદેહ પ્રાઈવેટ પ્લેન દ્વારા મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. જે લગભગ 9 વાગ્યે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે, શ્રીદેવીનો પરિવાર, બોલિવૂડના તમામ સેલિબ્રિટીઝ અને તેમના ફેન્સ શનિવારથી જ તેમના અંતિમ દર્શન માટે મુંબઈમાં એકઠાં થયા છે.
ઉલ્લેખનીય છે કે, શનિવાર રાતે દુબઈમાં શ્રીદેવીનું અવસાન થયું હતું. તેમના મૃત્યુના કારણ પર સતત સસ્પેન્સ બનેલું હતું. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, તેમનું મૃત્યુ બાથટબમાં ડૂબવાને કારણે થયું હતું. તેમના લોહીમાં આલ્કોહોલનું પણ મોટું પ્રમાણ નોંધવામાં આવ્યું હતું. દુબઈની કાનૂની પ્રક્રિયાઓને કારણે પરિવાર મૃતદેહ આપવામાં વિલંબ થઈ રહ્યો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.