અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો ઓટોપ્સી રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં તેના ગળા પાસે લિગેચર માર્કની વાત લખવામાં આવી છે. લિગેચર માર્કને સામાન્ય ભાષામાં ઉંડુ નિશાન કહે છે. સામાન્ય રીતે તે યુ શેપમાં હોય છે જે દર્શાવે છે કે, ગળું કોઈ દોરડું અથવા એવી જ કોઈ વસ્તુથી કસવામાં આવ્યું છે.
આ દરમિયાન સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર તેમના પિતાના વકિલ વિકાસ સિંહે આ નિશાન પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, જે વાતોનો મોતના સમયે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે વાતની ડિટેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવી નથી. તેમણે એવું પણ કહ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના સમયનો કેમ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉભા કર્યા છે અને કહ્યું છે કે, આ રિપોર્ટમાં બહુ મોટો ગોટાળો છે. આ ગોટાળામાં છુપાયેલુ રહસ્ય ખોલવાની જરૂર છે. પીએમ રિપોર્ટમાં એક્ટરના મોતનો સમય અને જ્યુસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુશાંતના ચહેરા પર જે નિશાન છે તેનો પણ પીએમ રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.