સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરવા મુંબઈ પહોંચેલી CBIએ તેનું કામ શરૂ કરી દીધું છે. CBIએ એક વ્યક્તિની પુછપરછ માટે ધરપકડ કરી છે. CBIની ટીમ જે ગેસ્ટ હાઉસમાં રોકાઈ છે, ત્યાં પુછપરછ કરવામાં આવી રહી છે.
EDની તરફથી કરવામાં આવી રહેલી મની લોન્ડરિંગની તપાસને પણ CBI ધ્યાનમાં રાખશે. CBIની ટીમને 3-3 ભાગમાં વહેંચી દેવાઈ છે.
તમામ દસ્તાવેજ જેવા કે, કેસ ડાયરી, ક્રાઈમ સીનના ફોટોગ્રાફ, ઓટોપ્સી રિપોર્ટ, મુંબઈ પોલીસનો ફોરન્સિક રિપોર્ટ, પોસ્ટમાર્ટમ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનોની કોપી ભેગા કરવાની જવાબદારી લેશે.
રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સાથે જોડાયેલા લોકો, સુશાંતના પૂર્વ મેનેજર, તેમના ઘરે કામ કરનારા લોકોની પૂછપરછ કરશે. સુશાંતના મૃત્યુના દિવસે હાજર તમામ લોકોના પણ નિવેદન ફરીથી લેશે.
CBIની તપાસ બિહાર પોલીસની FIRના આધારે થશે. એ FIRમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા, છેતરપિંડી અને કાવતરું ઘડવાની કલમ હેઠળ કેસ નોંધાયો હતો.