ન્યૂરો ઈન્ડોક્રાઈન ટ્યુમરથી પીડિત ઈરફાન ખાનના ચાહકો માટે એક ખુશખબર છે. સમાચાર છે કે હિંદી સિનેમાનો આ ચમકતો સ્ટાર ટૂંક સમયમાં પડદા પર કમબેક કરી શકે છે. એવી ચર્ચા છે કે ઈરફાને ‘હિંદી મીડિયમ’ ફિલ્મની સિક્વલ ‘હિંદી મીડિયમ 2’ માં કામ કરવાનું સ્વીકારી લીધુ છે. ઈરફાન ખાનના સ્વાસ્થ્ય વિશે કહેવામાં આવી રહ્યુ છે કે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે અને તે જલ્દી ફિલ્મોમાં કમબેક કરી શકે છે. આ પહેલા લોકો એ વખતે દુઃખી થઈ ગયા હતા જ્યારે ઈરફાને પોતાની બિમારીના કારણે AIB ની વેબસીરિઝ ‘ગોરમિંટ’ છોડી દીધી હતી અને ફેસબુક પર લખ્યુ હતુ કે તેમને આવતી કાલ વિશે કંઈ ખબર નથી એટલા માટે તે નવો પ્રોજેક્ટ કેવી રીતે સાઈન કરી શકે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઈરફાને ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) ને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે હેલ્થ ઈલાજની પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવ્યુ હતુ. નેશનલ એવોર્ડ વિજેતાએ કહ્યુ હતુ કે મે કિમોથેરેપીની ચોથી સાઈકલ પૂરી કરી લીધી છે પરંતુ મારે હજુ 6 સાઈકલ પૂરી કરવાની છે અને ત્યારબાદ સ્કેન કરાવવાનું છે ત્યારે જ ખબર પડશે કે છેવટે હું ક્યાં પહોંચ્યો છુ.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.