મુંબઈ : ભારત અને ચીન વચ્ચે સરહદ પર બગડતી પરિસ્થિતિને કારણે આખા દેશમાં ચીની ચીજોનો વિરોધ થઈ રહ્યો છે. વેપારી મંડળે બોલીવુડના ખ્યાતનામ લોકોને પણ ચિની માલનું સમર્થન ન કરવા અપીલ કરી છે. દરમિયાન, લોકો તેમના ફોન્સમાંથી ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક પણ ડિલીટ કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતા કરણવીર બોહરાએ પણ ટિકટોકને તેના ફોન પરથી ડિલીટ કરી દીધી છે. જણાવી દઈએ કે લદાખની ગલવાન ખીણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જેના પછી લોકો ચીન પ્રત્યે ગુસ્સે છે.
કરણવીર ટિકટોક ઉપર ખૂબ જ એક્ટિવ હતો
ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી સિરિયલો કરનાર કરણવીર બોહરા આ ચીની વીડિયો એપ પર ખૂબ જ એક્ટિવ રહેતો હતો. તે તેની પત્ની અને બંને પુત્રી સાથે વીડિયો શેર કરતો હતો. આ એપ્લિકેશનને તેના ફોલોવર્સ ખૂબ જ પસંદ કરી હતી, તે પછી પણ તેણે તેને ડિલીટ કરી દીધી છે.
કરણવીરે ટિકટોક ડિલીટ કર્યા બાદ તેના મોબાઇલમાંથી એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. તેણે એમ પણ લખ્યું કે, ‘તમે મને જે પ્રેમ બતાવ્યો તેના બદલ આભાર, પણ આ કરવું જરૂરી હતું. જય હિન્દ. ‘ સાથોસાથ, તેણે તેના મોબાઇલ ફોનથી ટિકટોક એપ્લિકેશન ડીલીટ કરી નાખી.
તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘હું જાણું છું કે ઘરે બેઠા બેઠા હું પણ કાંઈ કરી શકતો નથી પરંતુ હું પ્રાર્થના અને દુવા તો મોકલી જ શકું છું. એલએસી પર મૃત્યુ પામેલા સૈનિકો માટે હું દુઃખી છું. તેના પરિવારના લોકો માટે પ્રાર્થના.