સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput Death Case) મૌતના મામલામાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આજે સવારથી જ એક મોટી કાર્યવાહીમાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એનસીબીની ટિમ મુંબઈ અને ગોવામાં મોટા સ્તરે છાપેમારી કરી રહી છે. અત્યાર સુધીના સમાચારો અનુસાર, બોલીવુડમાં ડ્રગ કનેક્શનને લઈને આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
જાણકારી અનુસાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ મામલામાં હાલ સુધી જે-જે લોકો સાથે પૂછપરછ કરી છે, તેઓએ આ આખા નેટવર્કની જાણકારી એનસીબીના અધિકારીઓને આપી છે. એનસીબીના સુત્રો દ્વારા પહેલા જ આ વાતની જાણકારી આપવામાં આવી હતી કે, હજુ આ મામલામાં ઘણા નવા ચેહરાઓ સામે આવી શકે છે અને કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે, મુંબઈ અને ગોવામાં જે દરોડા ચાલી રહ્યા છે તે ધરપકડ કરાયેલ ડ્રગ ડીલર અનુજ કેશવાનીના જણાવ્યા અનુસાર ચાલી રહ્યા છે. બધી 6 લોકેશનમાં વધારે પડતી રેડ ડ્રગ પેડલરને ત્યાં ચાલી રહી છે. આ મામલામાં અત્યાર સુધી બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અનુજ કેશવાનીને રિયા ડ્રગ કનેક્શનની તપાસ દરમિયાન ધરપકડ કરાયો હતો. અનુજે પુછપરછમાં કેટલાક નામોના ખુલાસા કર્યા હતા. જણાવી દઈએ કે અનુજની ધરપકડ કૈજાન ઈબ્રાહીમના ખુલાસા પર થઇ હતી.
જણાવી દઈએ કે, 23 વર્ષના અબ્દેલ બાસિત પરિહાર અને 21 વર્ષના આરોપી જૈદ વિલાત્રા સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા કેટલીક કલાકની પૂછપરછ બાદ શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરાઈ હતી. આ બધા લોકો પર ડ્રગ ખરીદવાનો આરોપ છે અને એનસીબીની ટીમે આ બધાની ધરપકડ કરી લીધી છે.