જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આંતકીવાદી હુમલા બાદથી જ શહીદોના પરિવારની મદદ માટે લોકો આગળ આવ્યા છે. પેમેન્ટ બેંક એપ પેટીએમની જાહેરાત કરી હતી કે આ એપ પર સીઆરપીએફ વેલફેર ફંડ દ્વારા લોકો દાન આપી શકે છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચને પણ જાહેરાત કરી હતી કે એ હુમલામાં શહીદ થયેલા પરિવારોને 2.5 કરોડ આપશે. હવે સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ ઉરીની ટીમે શહીદોના પરિવારોને એક કરોડની મદદ આપવાની જાહેરાત કરી છે.
ઉરી ફિલ્મના પ્રોડ્યૂસર રૉની સ્ક્રૂવાલાએ ટ્વિટ કરીને કહ્યું કેટીમ ઉરી આર્મી ફેમિલી વેરફેર ફંડને એક કરોડ રૂપિયા આપે છે. અમે એ સુનિશ્ચિત કરીશું કે આ રકમ પુલવામા હુમલામા શહીદ થયેલા પરિવારોને મળે. અમે લોકોને પણ રિક્વેસ્ટ કરે છે કે એ પણ આ મુશ્કેલ સમયમાં જવાનોનો સાથ આપ.