મુંબઈ : ઓ સ્કર વિજેતા સિંગર એ.આર.રહેમાન આ દિવસોમાં વધારે હેડલાઇન્સ નથી બનાવી રહ્યો, પરંતુ તેમની પુત્રી ખાતીજા આ કાર્ય પાર પાડતી હોય તેવું લાગે છે. બુરખા પહેરવાના કારણે તેણીને અનેક વાર નિશાન બનાવવામાં આવી છે. ફરી એક વખત ખાતીજાના બુરખાને લઈને વિવાદ ઉભો થયો છે.
પ્રખ્યાત લેખક તસ્લિમા નસરીને રહેમાનની પુત્રી પર બુરખા પહેરવાને લઈને વાંધો ઉઠાવ્યો હતો. તેમના કહેવા મુજબ, કોઈએ ખાતીજાનું બ્રેઈન વોશ કર્યું છે. તસ્લિમાએ ટ્વીટમાં કહ્યું હતું કે – મને રહેમાનનું સંગીત ઘણું ગમે છે. પરંતુ જ્યારે પણ હું તેની પુત્રીને જોઉં છું, ત્યારે હું ગૂંગળામણ અનુભવું છે. તે ખૂબ દુઃખદ છે કે શિક્ષિત સ્ત્રીનું પણ સરળતાથી બ્રેન વોશ થઇ શકે છે.
I absolutely love A R Rahman's music. But whenever i see his dear daughter, i feel suffocated. It is really depressing to learn that even educated women in a cultural family can get brainwashed very easily! pic.twitter.com/73WoX0Q0n9
— taslima nasreen (@taslimanasreen) February 11, 2020
હવે આ ટ્વિટ પર તસલીમાનો જવાબ ખુદ રહેમાનની પુત્રી ખાતીજાએ આપ્યો છે. તસ્લીમાને યોગ્ય જવાબ આપતી વખતે, ખાતીજાએ ઇન્સ્ટા પોસ્ટ પર લખ્યું – હું માફી માંગીશ કે તમે મારા કપડા જોઈને ગૂંગળામણ અનુભવો છો. કૃપા કરીને જાવ અને શુધ્ધ હવા ખાઓ. કારણ કે, આ કપડાં પહેર્યાથી મને ગૂંગળામણ અનુભવાતી નથી પરંતુ મને ખૂબ ગર્વ છે, મજબૂત લાગે છે. કૃપા કરીને ગૂગલ પર નારીવાદનો અર્થ જુઓ. કારણ કે અન્ય સ્ત્રીઓને અપમાનિત કરવું અને કોઈના પિતાને આવા મુદ્દામાં ખેંચી લાવવા એ ફેમેનિઝમ (સ્ત્રીત્વ) નથી. એમ તો મને યાદ પણ નથી કે મેં મારી તસવીર તપાસ માટે તમને ક્યારે મોકલી હતી.
The precious ladies of my family Khatija ,Raheema and Sairaa with NitaAmbaniji #freedomtochoose pic.twitter.com/H2DZePYOtA
— A.R.Rahman (@arrahman) February 6, 2019