લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ફિલ્મ સ્ટાર અને અમદાવાદ પૂર્વ બેઠકના સાંસદ પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. પરેશ રાવલ અંગે સ્થાનિક લોકોનું કહેવુ હતું કે તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં મતદાતાઓથી દૂર થઇ ગયા છે. એક સંમેલનમાં પ્રાદેશિક ભાજપના નેતાઓ પર પરેશે ગંભીર આરોપ લગાવ્યા હતાં.
જ્યારે પ્રાદેશિક ભાજપના નેતાઓએ પરેશ રાવલને ફરીથી લોકસભા ટીકિટ અહીં આપવાની માંગ શરૂ કરી દીધી છે. જેને પગલે પાર્ટીના હાઈ કમાન્ડે પરેશ રાવલના સ્થાને સ્થાનિક નેતાને ટીકિટ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ ટીકિટને લઇને આશંકામાં આવેલા પરેશ રાવલે કહ્યું, “હું લોકસભા ચૂંટણી લડવા ઈચ્છતો નથી.”
પરેશ રાવલે કહ્યું કે હું અમદાવાદના મતદાતાઓનો આભારી છુ કે જેમણે મને લોકસભા ચૂંટણીમાં પાંચ વર્ષ માટે સેવા કરવાનો અવસર આપ્યો છે. હું આ વખતે ચૂંટણી લડવા ઈચ્છતો નથી, પરંતુ હું હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું સમર્થન કરતો રહીશ. હું ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે પણ તૈયાર છું.