Pahalgam Attack ‘અમાનવીય હિંસાથી દુઃખી’, શાહરુખથી લઈને આલિયા સહિતના અભિનેતાઓએ આ ક્રૂર ઘટનાની કડક નિંદા કરી”
Pahalgam Attack જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. આ હુમલામાં 28 નિર્દોષ પ્રવાસીઓના જાન ગયા છે. આ ઘટનાએ માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહિ, પણ બૉલીવૂડની હસ્તીઓને પણ આઘાતમાં મૂક્યા છે. શાહરુખ ખાન, જાવેદ અખ્તર, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સહિતના અભિનેતાઓએ આ ક્રૂર ઘટનાની કડક નિંદા કરી છે.
સુપરસ્ટાર શાહરુખ ખાને ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટમાં લખ્યું કે, “પહલગામમાં થયેલી હિંસા અને અમાનવીય કૃત્યથી હું ખૂબ જ દુઃખી છું. મારા માટે મારો ગુસ્સો શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. આવા સમયે આપણું હૃદય માત્ર દુઃખી થઈ શકે છે અને ભગવાન સમક્ષ પ્રાર્થના કરી શકે છે.” તેમણે રાષ્ટ્રને એકતા અને ન્યાય માટે ઊભા રહેવાની અપીલ પણ કરી.
Words fail to express the sadness and anger at the treachery and inhumane act of violence that has occurred in Pahalgam. In times like these, one can only turn to God and say a prayer for the families that suffered and express my deepest condolences. May we as a Nation, stand…
— Shah Rukh Khan (@iamsrk) April 23, 2025
ફિલ્મી દુનિયાના જાણીતા લેખક જાવેદ અખ્તરે ટ્વિટ કરીને કહ્યું કે, “આ હુમલાખોરો કોઈ જાતી કે ધર્મના લોકો નથી – તેઓ માત્ર સામૂહિક હત્યારાઓ છે. તેમને કોઈપણ સ્થિતિમાં ભગાવા ન જોઈએ.”
પ્રિયંકા ચોપરાએ પણ આ હુમલાને “નિંદનીય” ગણાવ્યું અને કહ્યું કે, “લોકો ત્યાં તહેવાર મનાવવા, હનીમૂન મનાવવા અને શાંતિ શોધવા ગયા હતા. પણ તેઓ એટલા માટે જ નિશાન બન્યા કે તેઓ શાંતિ પ્રેમી હતા.”
#PahalgamAttack pic.twitter.com/PhTp0c4clU
— PRIYANKA (@priyankachopra) April 23, 2025
આલિયા ભટ્ટે પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, “હું હ્રદયથી વ્યથિત છું. નિર્દોષ લોકોના જીવ લેવાવા પાછળ કોઈ માનવતાવાદી કારણ હોઈ શકે નહીં. પહલગામની શાંતિ હવે લોહીથી રંગાઈ ગઈ છે.”
આ આતંકી હુમલો બૈસરન ખીણ વિસ્તારમાં થયો હતો, જ્યાં ફક્ત પગપાળા અથવા ખચ્ચર દ્વારા જ જઇ શકાય છે. આલમ એવું છે કે, સમગ્ર દેશ આ ઘટનાથી શોકમાં છે અને તમામ વર્ગોમાંથી એક જ માંગ ઊઠી રહી છે – ન્યાય અને કડક કાર્યવાહી.