Shefali Jariwala Death અચાનક મૃત્યુથી મનોરંજન જગતમાં શોક
Shefali Jariwala Death ‘કાંટા લગા’ ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલાનું અચાનક અવસાનથી આખો મનોરંજન ઉદ્યોગ હચમચી ગયો છે. 27 જૂને તેમના નિવાસસ્થાને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દિવસે શેફાલીએ ઉપવાસ રાખ્યો હતો. એવો આરોપ છે કે તેમણે ભૂખ્યા પેટે એક વધારે માત્રાનું વૃદ્ધત્વ વિરોધી ઇન્જેક્શન લીધું હતું, જે તેમના માટે ઘાતક સાબિત થયું. 43 વર્ષની ઉંમરે હાર્ટ અટેકને કારણે તેમનું નિધન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે, જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
અંતિમ ઘડીમાં શું બન્યું?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 11 વાગ્યે શેફાલી અચાનક બેભાન થઈ ગયા અને જમીન પર પટકાયા. તેમના પતિ પરાગ ત્યાગી, માતા અને અન્ય કેટલીક નજીકની વ્યક્તિઓ તે સમયે ઘરમાં હાજર હતા. તરત જ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ઘરમાંથી દવાઓ મળી આવી
અંબોલી પોલીસ સ્ટેશનના સૂત્રો મુજબ, પોલીસે શેફાલીના ઘરમાંથી મોટી સંખ્યામાં દવાઓ, એન્ટી-એજિંગ ઇન્જેક્શન, બ્યુટી ઓઇલ અને પાચન સંબંધિત ગોળીઓ જપ્ત કરી છે. અધિકારીઓનું માનવું છે કે આ દવાઓનું ભૂખ્યા પેટે લીધું જથ્થાબંધ સેવન હાર્ટ ફેલ્યોરનું કારણ બની શકે છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર નિર્ભર તપાસ
હાલમાં પોલીસે આ કેસમાં મૃત્યુ રિપોર્ટ (ADR) નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં પરિવારના સભ્યો, ઘરેલુ સ્ટાફ અને ડોક્ટરો સહિત 8 લોકોના નિવેદનો લેવાયા છે. જોકે પોલીસનો કહેવું છે કે કોઇ પારિવારિક વિવાદના પુરાવા નથી.
અંતિમ વિદાય
શેફાલી જરીવાલાનું આજે ઓશિવારા હિન્દુ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમના નિધનથી ન માત્ર તેમનો પરિવાર, પરંતુ સમગ્ર ફેન્સનો વર્ગ અને ટેલિવિઝન ઉદ્યોગ પણ શોકમાં છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતો વધુ સ્પષ્ટ બનશે, અને તેના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.