બોલીવૂડની જાણીતી એકટ્રેસ શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવામાં હજુ સફળતા નથી મળી શકી. હજુ સુધી શ્રીદેવીના મોતનું કારણ સામે આવી ચૂકયું છે. દુબઈ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ કોઈપણ પ્રકારના ગુનાઈત ષડયંત્રને નકારી ચૂકયું છે, પંરતુ પબ્લિક પ્રોસિકયૂશન ઓટોપ્સી રિપોર્ટથી સંતુષ્ટ ન હોવાનું જણાવાઈ રહ્યું છે. પબ્લિક પ્રોસિકયૂશને એ હોટલના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે, જેમાં શ્રીદેવીનું મોત થઈ ચૂકયું છે. પબ્લિક પ્રોસિકયૂશન એ થિયરી પર વિશ્વાસ નથી કરી શકતા કે શ્રીદેવી બેભાન થઈને બાથટબમાં પડી અને ડૂબવાથી મોત થઈ ગયું. આ પહેલા શરૂઆતી મીડિયા રિપોર્ટસમાં શ્રીદેવીના મોત પાછળનું કારણ કાર્ડિએક અરેસ્ટ (હૃદયની ગતિ અચાનક રોકાઈ જવાથી)ને જણાવાયું હતું. બાદમાં શ્રીદેવીના શબ પરીક્ષણ બાદ એ વાત સામે આવી કે બાથટબમાં ડૂબવાને કારણે તેમનું મોત થયું. દુબઈ પોલીસે પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તેની પુષ્ટિ કરી. સ્થાનિક મીડિયાએ ફોરેન્સિક રિપોર્ટના હવાલાથી જણાવ્યું કે, શ્રીદેવીના શરીરમાં દારૂના અંશ મળી આવ્યા છે. દુબઈ પોલીસે કહ્યું કે, શ્રીદેવી બેભાન થઈને બાથટબમાં પડી ગઈ. શ્રીદેવીનું મોત હજુ પણ તપાસનો વિષય બનેલો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ખીલજ ટાઈમ્સના હવાલાથી જણાવ્યું છે કે, શ્રીદેવીના પાર્થિવ દેહ પર આજે લેપ નહીં લગાવાય. કદાચ એ મંગળવારે થશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.