નવી દિલ્હી : બોલીવુડમાં હાલના દિવસોમાં બાયોપિકનો સિલસિલો ચાલી રહ્યો છે. ખેલાડીઓથી લઈને રાજનેતાઓ તેમજ ફિલ્મી કલાકારોની જીવનગાથા દર્શાવવાની જાને સ્પર્ધા લાગી છે. આ દરમિયાન માહિતી સામે આવી છે કે, બળાત્કારના દોષિત આસારામ પર પણ બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મને બોલીવુડના ફેમસ નિર્માતા સુનિલ બોહરા દ્વારા બનાવવામાં આવી રહી છે. સુનીલ પત્રકાર ઉષિનર મજુમદાર દ્વારા લખાયેલી ‘ગોડ ઑફ સિન: ધ કલ્ટ, ધ ક્લઆઉટ એન્ડ ડાઉનફોલ ઓફ આસારામ બાપુ’ પર એક ફિલ્મ બનાવશે. એટલું જ નહીં, સુનિલએ આ ફિલ્મ બનાવવાના રાઇટ્સ પણ ખરીદી લીધા છે.
‘ગેંગ ઑફ વાસેપુર’, ‘તનુ વેડ્સ મનુ’, ‘શાહિદ’ અને ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ જેવી ફિલ્મોનું નિર્માણ કરનાર સુનિલ બોહરાએ આ ફિલ્મ બનાવવા માટે સંપૂર્ણપણે મન બનાવી લીધું છે. ઉષિનર મજુમદાર દ્વારા લખાયેલું આ પુસ્તકમાં આસારામના જીવનથી સંબંધિત ઘણા ખુલાસા રજૂ કરશે.
સુનીલ બોહરાએ તાજેતરમાં જ મીડિયાને કહ્યું હતું કે, “મેં પુસ્તક વાંચ્યું છે અને હું પીસી સોલંકીથી ખુબ જ પ્રભાવિત છું. જેમણે પીડિતા છોકરી માટે ફ્રીમાં કેસ લડ્યો છે અને તેને ન્યાય પણ અપાવ્યો છે. આ કેસ સાથે જોડાયેલા સુરત અને જોધપુર જેલના બે મહિલા પોલીસ અધિકારીઓએ મને બાયોપિક બનાવવા પ્રેરણા આપી છે. મારી ફિલ્મ માત્ર આ રિયલ હીરો પર જ કેન્દ્રિત હશે.
ઉલ્લેખનીય છે કે, સુનિલ બોહરાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેમની ટીમ સાથે સ્ક્રીપ્ટ પર કામ શરૂ કરશે અને પછી કાસ્ટ પર કામ કરવામાં આવશે. સુનિલ આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માંગે છે.