બોલિવુડ એક્ટ્રેસ સન્ની લિયોનનું મીણનું પૂતળું દિલ્હીના તુષાદ મ્યુઝીયમમાં લગાવવામાં આવશે. તેને અન્ય ફેમસ હસ્તીઓના પૂતળા સાથે પ્રદર્શિત કરવામાં આવશે.લંડનથી આવેલ નિષ્ણાંત કલાકારોની એક ટીમે મુંબઈમાં સન્ની લિયોનને મળ્યા, જ્યાં તેમણે સન્ની લિયોનના ૨૦૦થી વધુ ખાસ માપ અને ફોટા લીધા જેથી પરફેક્ટ રચના કરી શકાય. સન્નીએ કહ્યું કે, મારું પૂતળું લગાવવા માટે મેડમ તુષાદની આભારી અને રોમાંચિત છુ.
સન્ની લિયોને આગળ કહ્યું કે, આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે હું કોઈ લાંબી સિટિંગમાંથી પસાર થઇ છુ. પૂરી ટીમનો હું આભાર વ્યક્ત કરું જેમણે એક અનન્ય અને યાદગાર અનુભવ બનાવ્યો. હું મારી જાતને જોવા માટે ઉત્સાહિત છુ અને મારા પ્રશંસકોની પ્રતિક્રિયાની આતુરતાથી રાહ જોઈ રહી છુ. મેડમ તુષાદ મ્યુઝિયમમાં મીણનું પુતળું આ વર્ષના અંતમાં પ્રદર્શિત કરવામાં આવશે.
મેડમ તુષાદ મ્યુઝિયમમાં પહેલાથી જ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, એશ્વર્યા રાય બચ્ચન, ઋત્વિક રોશન, કરીના કપૂર, કેટરિના કૈફ, માધુરી દિક્ષિત, વરૂણ ધવન અને કેટરિના કૈફ જેવા કલાકારોના સ્ટેચ્યુ રખાયા છે. અા સિવાય બાહુબલીને અભૂતપુર્વ સફળતા મળ્યા બાદ પ્રભાસનું સ્ટેચ્યુ પણ મ્યુઝિયમમાં મુકાયુ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.