બોલિવૂડના અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાનું રહસ્ય ઉકેલવાની જવાબદારી સીબીઆઇને સોંપવામાં આવી. રાજ્ય સરકારમાં રહેલા શિવસેનાના આદિત્ય ઠાકરેએ મંગળવારે સાંજે પહેલીવાર આ અંગે પોતાનું મૌન તોડ્યું અને એવો દાવો કર્યો કે મને અને મારા પરિવારને બદનામ કરવાનું આ કાવતરું છે. બોલિવૂડના કલાકારો સાથે દોસ્તી રાખવી એ શું ગુનો છે ? હજુ તો થોડા દિવસ પહેલાંજ વ્હૉટ્સ એપ પર સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી આદિત્યની કારમાં એની સાથે ફરી રહી હોય એવી તસવીર ફરતી થઇ હતી. એની સાથે એવી નોંધ પણ હતી કે શિવસેનાના પ્રમુખના પુત્ર સાથે જેને સંબંધ હોય એનો વાળ કોણ વાંકો કરી શકે ?
આ આખીય વાત બોલિવૂડમાં પ્રવર્તતી માફિયાગીરી અને પ્રતિભાવાન કલાકારોને થતા અન્યાય પર પ્રકાશ પાડે છે. સુશાંતને આદિત્ય ચોપરાએ ત્રણ ફિલ્મો માટે સાઇન કર્યો હતો એટલે એ સંજય લીલા ભણસાલીની ફિલ્મોની ઑફર સ્વીકારી શક્યો નહીં. પાછળથી આદિત્ય ઠાકરેએ સુશાંતને લીધેલો એ ફિલ્મો બનાવી નહીં એટલે સુશાંતે બંને બાજુથી માર ખાવો પડ્યો. આમ છતાં એ નાસીપાસ થયો નહોતો. એને નિકટથી ઓળખતા લોકો અને ખાસ તો જેની સાથે પહેલાં બ્રેકપ થયેલું એ અંકિતા લોખંડેએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારપૂર્વક અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સુશાંત આપઘાત કરે એવો માણસ જ નહોતો. એ સતત હસતો અને તરવરિયો યુવાન હતો. અંકિતા સાથે બ્રેકપ થયા બાદ સુશાંત અને રિયા વચ્ચે સંબંધ સ્થપાયો હતો અને રિયાનો ભાઇ સુશાંતની આર્થિક બાબતો સંભાળતો થઇ ગયો હતો. આટલી પૂર્વભૂમિકા જાણ્યા પછી હવે સુશાંતના રહસ્યમય મૃત્યુની વાત. આ વર્ષના જૂનની નવમીએ અભિનેતા સૂરજ પંચોલીએ સુશાંતની એક સમયની સેક્રેટરી દિશા સાલિયનને ફોન કરીને મારે ત્યાં પાર્ટી છે એમ કહીને પોતાને ત્યાં નોતરી.mgM
પોલીસને મળેલી માહિતી મુજબ સુશાંતને રોજ ફોન પર ધાકધમકી મળતી હતી. એણે નવથી તેર જૂન વચ્ચે એટલે કે માત્ર ચાર-પાંચ દિવસમાંક મહિનામાં બારથી ચૌદ વખત સીમ કાર્ડ બદલ્યા હતા. બારમી જૂને સુશાંતે રુમી જાફરી સાથે એક કોન્ટ્રેક્ટ સાઇન કર્યો એટલે ખૂબ ખુશ હતો. એ ખુશી દોસ્તોમાં વહેંચવા એણે 13મી જૂને રાત્રે પાર્ટી રાખી હતી જેમાં આદિત્ય ઠાકરે પણ હાજર હતો.
ત્યારબાદ શું થયું એ રહસ્ય છે. સુશાંતનો મૃતદેહ મળ્યો અને એણે આપઘાત કર્યો એવી વાતો વહેતી થઇ. ભાજપના બોલકણા સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ રજૂ કરેલી ટ્વીટ વાંચો તો ખ્યાલ આવે કે સુશાંતની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી હોવાની શક્યતા હતી. સ્વામીએ રજૂ કરેલા કેટલાક મુદ્દા તો ખરેખર રસપ્રદ હતા. જેમ કે સુશાંતે એના કહેવાતા આપઘાતની સવારે તો વિડિયો પર કોમેડી પ્રોગ્રામ્સ માણ્યા હતા. ડિપ્રેશનમાં હોય એવી કોઇ વ્યક્તિ આ રીતે કોમેડી શોની મોજ કેવી રીતે માણી શકે ? બીજો મહત્ત્વનો મુદ્દો- એના ફ્લેટમાં એવું કોઇ સ્ટૂલ કે ટેબલ નહોતું જેની ઉપર ચડીને એ પોતાના ઘરની છત પરના પંખા પર લટકી શકે. ગળે ફાંસો ખાધો હોય તો ગરદન પર એના નિશાન મળવા જોઇએ. એવા કોઇ નિશાન મલ્યા નહોતા.