વર્ષ 2016માં ઐશ્વર્યા રાયને લઈને ખબર મળ્યા હતા કે, તેણે અમિતાભ અને જયા બચ્ચન સાથે અણબનાવને કારણે સ્યુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણ ઐશ્વર્યાનું એક બોલ્ડ ફોટોશૂટ હોવાનું કહેવાય છે. જોકે, આ દરમિયાન ઐશ્વર્યા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં નજર આવી હતી. વર્ષ 2013માં ફેસબુક પર કૈટરીના કૈફના મોતના સમાચાર આવ્યા હતા. પરંતુ તેના બાદ કૈટરીનાની ટીમે જાહેરાત કરી હતી કે, તે એકદમ સલામત છે. વર્ષ 2012માં અમિતાભ બચ્ચનનું એક કાર અકસ્માતમાં મોતના સમચાર પણ ફરતા થતા, ફેન્સ ચિંતામાં આવી ગયા હતા. બોલિવુડ કિંગ ખાન શાહરૂખ ખાન એ સમયે અફવાનો શિકાર બન્યો હતો, જ્યારે એક યુરોપિયન ચેનલે તેના પ્લેન ક્રેશમાં માર્યા જવાના ખબર ચલાવ્યા હતા. શાહરૂખની ટીમે સફાઈ આપવા સામે આવવું પડ્યું હતું. વર્ષ 2013માં માધુરી દિક્ષીતના ફેન્સના સોશિયલ મીડિયા પર સાંત્વના આપતા મેસેજ વાઈરલ થયા હતા. થોડા દિવસ પહેલા હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ મુમતાઝનું કાર્ડિયેક એટેકથી નિધન થવાના સમાચાર વાઈરલ થયા હતા. જેના બાદ તેમની નાની દીકરી તાન્યા માધવાનીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને બધાને જણાવ્યું હતું કે, તેમની માતા બિલકુલ સ્વસ્થ છે અને આજકાલ રોમમાં છે. મોતના સમાચારમાં તો લતા મંગેશકર, દિલીપ કુમાર અને ફરીદા જલાલનું નામ પણ સામેલ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.