ભારતીય આયુર્વેદમાં મધને અમૃત સમાન ગણવામાં આવ્યુ છે. રોજિંદા વપરાશની સાથે સાથે આયુર્વેદની વિવિધ દવાઓમાં પણ મધનો વ્યાપક થાય છે. હાલ લોકો બજારમાં વેચાતા વિવિધ કંપનીઓના બ્રાન્ડેડ મધનો ઉપયોગ કરે છે, જો કે હકિકતમાં તેઓ મધ નહીં પણ સુગર શિપરનું સેવન કરે છે આ વિસ્ફોટક માહિતી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટ (Centre for Science and Environment/ CSE)ના તપાસમાં બહાર આવી છે.
નોંધનિય છે કે, આ સંસ્થાએ જ વર્ષ 2003થી 2006 દરમિયાન સોફ્ટ ડ્રિંકમાં કિટનાશકની હાજરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, ભારત સરકારે દેશમાંથી નિકાસ થતા મધનું NMR ટેસ્ટિંગ 1 ઓગસ્ટ 2020થી ફરજિયાત કર્યુ છે.
CSEના વડા સુનીતા નારાયણે કહ્યુ કે, ભારતમાં વેચાઇ રહેલા મધના મોટાભાગના તમામ બ્રાન્ડોમાં મોટાપ્રમાણમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. મધમાં ભેળસેળ માટે શુગર સિરપ (Sugar syrup)નો ઉપયોગ થાય છે. મધમાં ભેળસેળની તપાસ ભારત અને જર્મનની પ્રયોગશાળામાં કરવામાં આવી હતી.
CSE એ કહ્યુ કે, આ રિપોર્ટ અને ભારત અને જર્મનની પ્રયોગશાળામાં થયેલ સંશોધનો પર આધારિત છે. આ અભ્યાસ દર્શાવે છે કે, ભારતના તમામ મુખ્ય બ્રાન્ડના મધમાં વ્યાપક મિલાવટ કરવામાં આવી રહી છે. 77 ટકા સેમ્પલમાં સુગર શિરપની ભેળસેળ મળી આવી છે. વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય ન્યુક્લિયર મેગ્નેટિક રેજોનેન્સ સ્પેક્ટ્રોસ્કોપી (NMR) ટેસ્ટિંગમાં 13 બ્રાન્ડમાંથી માત્ર 3 બ્રાન્ડ જ પાસ થઇ છે.
CSEએ કહ્યુ કે, ના ફૂડ રિસર્ચરે ભારતીય બજારમાં વેચાતા 13 મુખ્ય અને નાની બ્રાન્ડવાળા પ્રોસેસ્ડ મધની પસંદગી કરી. આ બ્રાન્ડેડ મધનું ન્યુક્લિયર મેગ્રનેટિક રેજોનેન્સ (NMR) ટેસ્ટિંગ કરાયુ તો લગભગ તમામ બ્રાન્ડોના સેમ્પલ નાપાસ થઇ ગયા. 13 બ્રાન્ડ ટેસ્ટિંગમાં માત્ર 3 જ NMR ટેસ્ટિંગમાં પાસ થઇ. આ ટેસ્ટિંગ જર્મનની પ્રયોગશાળામાં કરવામાં આવ્યુ હતુ.
મધના 77 ટકા સેમ્પલમાં સુગર સિરપની સાથે અન્ય ચીજોની પણ ભેળસેળ હતી. કુલ ટેસ્ટિંગ કરાયેલા 22 સેમ્પલમાંથી માત્ર પાંચ જ સેમ્પલ બધા ટેસ્ટિંગમાં પાસ થયા હતા. મધની મુખ્ય બ્રાન્ડો જેવી કે ડાબર, પતંજલિ, વૈદ્યનાથ, હિતકારી અને એપિસ હિમાલય તમામ NMR ટેસ્ટિંગમાં નાપાસ થઇ છે. 13 બ્રાન્ડોમાંથી માત્ર 3- સફોલા, માર્કફેડ સોહના અને નેચર્સ નેક્ટર, તમામ ટેસ્ટિંગમાં પાસ થઇ છે.