અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ સુવિધા ચાર રસ્તા પાસે આવેલ સુમેરુ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સત્યા પેથોલોજી નામની લેબોરેટરી ના માલિક ડો.ગુપ્તા છેલ્લા કેટલાય સમય થી ગેરકાયદે રીતે ધમધમાવતા હતા નવાઈ ની વાત તો તે હતી કે આ સાહેબ પાસે કોઈજ પ્રકારની ડિગ્રી કે નિયમો ને આધીન જે પરમિશન હોવી જોઈએ તે કઈ ન હતું કે જેના આધારે લેબ ચલાવી શકાય છતાં પૈસા છાપતા હતા જે અંગે સત્ય ડે ની ટીમ ને લોકહિત માટે ન્યૂઝ પ્રકાશિત કરવા માહિતી મળતા તેઓએ આ લેબોરેટરી માં જઈ ને બ્લડ ટેસ્ટ અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવ્યો હતો અને રૂપિયા 4000 આપ્યા હતા પણ સામે આ લેબ દ્વારા કોઈજ પ્રકાર ની રીસીપ્ટ પણ આપેલ ન હતી ત્યારબાદ રિપોર્ટ માંગવામાં આવ્યો ત્યારે લેબોરેટરી ના નંબર 9712729523 ઉપરથી રિપોર્ટ ની કોપી વોટ્સઅપ ઉપર મોકલી આપેલ હતો જેમાં સત્યા લેબોરેટરી નો કોઈજ પ્રકાર નો રજીસ્ટર્ડ નંબર લખેલ ન હતો કે કોઈપણ ઓથોરિટી વાળા ડોકટર ની સહી કરેલ ન હતી અને બીજી એક લેબોરેટરી રેલોક્ષ વીરટુ અલ નામની લેબનો પણ લોગો મૂકવામાં આવ્યો હોઈ તેની સત્યતા ની ખરાઈ કરવા ડોક્ટર ગુપ્તા ને પૂછતાં તેઓએ આ લેબ સાથે પોતાનો કોન્ટ્રાકટ હોવાની વાત કરતા સત્ય ડે ન્યૂઝની ટીમ દ્વારા રેલોક્ષ લેબમાં તપાસ કરતા જાણવા મળેલ કે આ લેબનો કોન્ટ્રાકટ તો 2 વર્ષ પહેલાં જ પૂરો થઈ ગયેલ હતો અને આ લેબ દ્વારા સત્યા લેબને નોટિસ પણ આપવામાં આવેલ હતી.
તેમ છતાં આ ડોક્ટર દ્વારા છેલ્લા 2 વર્ષ થી આ લેબને ગેરકાયદેસર રીતે ચલાવી રહેલ હોવાનું સામે આવતા ડો.ગુપ્તા નું જુઠાણું પકડાઈ ગયુ હતું પરિણામે સત્ય ડે ન્યૂઝની ટીમ જ્યારે સત્યા લેબોરેટરી માં જઈ ને તપાસ કરવામાં આવી ત્યારે સત્યા લેબના માલિક ડોકટર ગુપ્તા દ્વારા સત્ય ડે ન્યૂઝની ટીમ સાથે ગેરવર્તણૂક કરી હતી અને જણાવેલ કે આવી તો અમદાવાદમાં ઘણી બધી લેબો છે ચાલો હું તમને બતાવું તેઓ નો આ જવાબ પણ ચોંકાવનારો હતો કેમકે આવી જો ગેરકાયદે લેબ અનેક હોય તો અમદાવાદ નું આરોગ્ય વિભાગ ના ઉપરીઓ ઉપર શંકા અને સવાલો ઉઠે છે.
ડો.ગુપ્તા ની આ વાત અનેક સવાલો ઉભા કરી રહી છે.
સત્ય ડે ન્યૂઝ દ્વારા સત્યા નામની લેબનો રજીસ્ટર્ડ નંબર માંગવામાં આવતા ડોકટર ગુપ્તા એ આપવાની ચોખી ના પાડેલ અને સ્થળ ઉપરથી રવાના થઈ ગયા હતા.તો જોવાનું એ રહ્યું કે આ ડોક્ટર ગુપ્તા ને એવી તો કોની રહેમરાહ છે કે 2 વર્ષ થી આવી ગેરકાયદેસર લેબ ચલાવી રહ્યો છે તેમ છતાં અમદાવાદ મનપાનું આરોગ્ય ખાતું,હેલ્થ ખાતું અને ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું ઉઘતું ઝડપાયું છે બીજી તરફ આ સમાચારો સત્યડે માં ચમકતા ડો.ગુપ્તા ગાયબ થઈ ગયા છે અને લેબોરેટરી ને ખંભાતી તાળું લાગી જતા ઘી ના ઠામ માં ઘી પડી ગયું કે પછી શું રંધાઈ રહ્યું છે તે વાત ભારે રહસ્યમય બની છે.
આ પ્રકરણમાં અનેક ખુલાસા થવાની સંભાવના છતાં અત્યાર સુધી જે લોકો ના આરોગ્ય સાથે ચેડાં થયા તેનું શું ? શુ આ માટે કોઈ કાયદા માં જોગવાઈ જ નથી ? વગરે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ પ્રકરણમાં સબંધિત વિભાગ ખૂલીને તપાસ અને ખુલાસો કરે તે જરૂરી થઈ પડ્યું છે.