Gambhira bridge accident: ગંભીરા બ્રિજ અકસ્માત પછી તંત્રની ઢિલાઈનો ભોગ બન્યા છોટાઉદેપુરના હજારો ગ્રામજનો

Arati Parmar
3 Min Read

Gambhira bridge accident: જૂના બ્રિજ બંધ થતાં NH-56 પર વાહન વ્યવહાર પર અસર

Gambhira bridge accident: છોટાઉદેપુર જિલ્લાનું જીવન હવે એક ગંભીર સમસ્યાની ચપેટમાં છે. Gambhira bridge accident પછી તંત્ર અચાનક હરકતમાં આવ્યું અને જિલ્લામાં આવેલા અનેક જૂના બ્રિજોને ખરાબ સ્થિતિમાં ગણાવી ભારે વાહનો માટે બંધ કરી દીધા. ખાસ કરીને NH-56 પર આવેલા પાવી જેતપુર અને બોડેલી વચ્ચેના બ્રિજ બંધ થતાં જિલ્લાના 121 ગામો અવર જવર પ્રતિબંધ થતા મુશ્કેલીમાં ફસાયા છે.

ભારજ નદી પરનો બ્રિજ તૂટી પડ્યો, મેરિયા નદી પરનો બંધ થયો

છેલ્લા બે વર્ષથી પાવી જેતપુર પાસે ભારજ નદી પરનો મુખ્ય બ્રિજ તૂટી પડ્યો છે. પરિસ્થિતિ ન સાંભળી ત્યાં સુધી કોઈ કામ શરુ થયું નહીં. હવે Gambhira bridge accident બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું અને મેરિયા નદી પરનો 58 વર્ષ જૂનો બ્રિજ પણ બંધ કરી દીધો. પરિણામે બસો, ટ્રક, ડમ્પર જેવી તમામ ભારે વાહનોની અવરજવર રોકાઈ ગઈ છે.

Gambhira bridge accident

વિદ્યાર્થીઓને રોજ 40 કિમી લાંબી સફર કરવી પડે છે

સ્થાનિક ગામો જેમ કે જાબુગામ અને સિહોદના વિદ્યાર્થીઓને પાવી જેતપુર જેવી નજીકની જગ્યાએ જવા માટે પણ મોટો ફેરો લગાવવો પડે છે. વિદ્યાર્થીઓ માટે બસ ઉપલબ્ધ નથી અને અત્યારે રેલવે બ્રિજને જોખમી રસ્તા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. આ સ્થિતિએ વાલીઓ બાળકોને બાઈકથી લઇ જવા માટે મજબૂર થયા છે.

ખેડૂતોના પાક માટે કોઈ માર્કેટ સુધી પહોંચવાનો માર્ગ જ નથી

જાબુગામ અને આસપાસના વિસ્તારોમાં કેળાં અને મકાઈનો પાક તૈયાર છે, પરંતુ બંને દિશાના બ્રિજ બંધ હોવાથી ખેડૂતો પાક કાપીને પણ વેપારી સુધી લઈ જઈ શકતા નથી. રોડ પર પાક મૂકવાની નવતરી હાલત ઊભી થઈ છે.

રેતી વ્યવસાયમાં લાગેલા 25થી વધુ લીઝ ધારકો નુકસાનમાં

ભારજ, ઓરસંગ અને મેરિયા જેવી ત્રણ નદીઓનું સંગમ ધરાવતો આ વિસ્તાર રેતીના ખનન માટે જાણીતો છે. અહીંના લીઝ ધારકોના ટ્રક અને ડમ્પર હવે બ્રિજ બંધ થતા જ અવરજવર કરી શકતા નથી. સાગરભાઈ જેવા લીઝ ધારકો જણાવે છે કે હાલ લાખો મેટ્રિક ટન રેતીનો જથ્થો ખાડામાં ફસાઈ ગયો છે.

Gambhira bridge accident

રેલવે રાજ્ય મંત્રીએ લીઝ બંધ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ભૂતપૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી નારણભાઈ રાઠવાએ જણાવ્યા અનુસાર, દરરોજ હજારો ટન રેતી ભરાયેલા વાહનો બ્રિજોને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમનો દાવો છે કે તંત્રને થતી આવકની સરખામણીમાં ખર્ચ વધુ છે. તેથી તેમણે ત્રણ વાર મુખ્યમંત્રીને પત્ર લખી રેતીના લીઝ રદ કરવાની માંગ કરી છે.

લોકોની નજર તંત્રના આગામી પગલાં પર

છેલ્લા બે વર્ષથી એક બ્રિજ બંધ અને હવે વધુ એક બ્રિજ બંધ થતા છોટાઉદેપુરના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓ ત્રણેય વર્ગ માટે હાલત મુશ્કેલ બની છે. આમ, Gambhira bridge accident બાદ પ્રવૃત્ત થયેલા તંત્રએ હવે લાંબા ગાળાના સમાધાન માટે શું પગલાં લે છે તેની રાહ જોઈ જિલ્લાનાં લોકો બેસી રહ્યા છે.

Share This Article