રાજ્ય માં કોરોના ઉપર નિયંત્રણ અને આગામી પગલાં ભરવા મામલે મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતા માં બેઠક મળી છે જેમાં વર્તમાન સ્થિતિ ઉપર ચર્ચા થઈ હતી.
રાજ્ય માં વધતા જતા કોરોના ના સંક્રમણ ને લઈ તેના ઉપર ચર્ચા અને આગામી પગલાં લેવા માટે ગાંધી નગર ખાતે મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં કોવિડ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક મળી છે. આ બેઠકમાં તમામ મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરી તેને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. મુખ્ય સચિવશ્રી કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.