ગુજરાત ભરમાં બાળકીઓ પર થઈ રહેલી બળાત્કારની ઘટનાઓને લઈ સરકાર કંપી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા અને સુરતની ઘટનાને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારે પીડીત બાળકીઓને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવવા માટે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે અને કેસને માત્ર એક જ મહિનામાં પૂર્ણ કરવા માટે સ્પેશિયલ પ્રોસિક્યુટરની નિમણૂંક કરવાની જાહેરાત કરવામાં આવનારી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સાબરકાંઠના ઢૂંઢર ગામે બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યા બાદ રાજ્યભરમાં ભારે હોબાળો મચી ગયો છે. ખાસ કરીને હિન્દીભાષી લોકો વિરુદ્વ લોકજુવાળ ફાટી નીકળે તેવી ભીંતી વ્યક્ત થઈ રહી છે. કેટલીક જગ્યાઓ પર હિન્દીભાષીઓને ટારગેટ કરી માર મારવાની ઘટના બની છે અને આના કારણે 25 હજાર કરતાં વધુ હિન્દીભાષીઓએ વતન ભણી હિજરત શરૂ કરી દીધી છે.