છેલ્લા થોડા મહિનાથી પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાના ગ્રેડ -પે તેના વધારાની માંગણીના મુદ્દે રાજ્યવ્યાપી શાંતિપૂર્વક આંદોલન કરવામાં આવ્યો હતો જેમા અનેક પોલીસ પરિવારો પણ જોડાયા હતા આંદોલન દરમ્યાન સરકાર શ્રી દ્વારા બે મહિનામાં કમિટી બનાવીને જરૂરી માંગણીઓ સંતોષવાની ખાતરી આપવામાં આવી હતી
જે બાહેંધરી ને આજે પાંચ મહિના જેટલો સમય વિતી ગયો છે છતાં પણ સરકાર દ્વારા ગ્રેડ પે આ મુદ્દે કોઈ પણ ચોક્કસ જાહેરાત કરેલ નથી જેના લીધે પોલીસ કર્મચારીઓમાં અસંતોષની લાગણી થવી બહુ જ સહજ છે જેના લીધે પોલીસ કર્મચારીઓની લાગણી અને માગણીને વાચા આપવા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ફ્રી નીલમબેન મકવાણા દ્વારા ગ્રેડ -પે નાણા મુદ્દે ફરી શાંતિપૂર્વક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેના પગલે તેમની અટકાયત અને ધરપકડ કરીને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે તેમની રાખવામાં આવ્યા છે જ્યાં તેઓની માંગણીઓ જ્યાં સંતોષાઇ નહીં ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં એમની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ ઉઠાવવાનો હક્ક છે સરકારની નીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્વક કાયદાની મર્યાદામાં રહીને પ્રદર્શન કરવાની છૂટ બંધારણે આપી છે
પરંતુ નીલમબેન મકવાણા દ્વારા કરવામાં આવેલા આંદોલનના લીધે તેઓની અટકાયત અને ધરપકડ કરવામાં આવી અને સરકાર દ્વારા માત્ર નીલમબેન નહીં પણ સમગ્ર પોલીસ વિભાગનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે
સરકાર પોતે બાહેંધરી આપે અને તેનું પાલન ન કરે અને રાજ્યના નાગરિકોએ મુદ્દે જો અવાજ ઉઠાવે અને તેમની અટકાયત અને ધરપકડ કરવામાં આવે તો શું તેમનો અવાજ દબાવો અને સરકારની શોભામાં અભિવૃદ્ધિ કરનારી બાબત છે .?અહીં જ કર્મચારીઓ છે જેમણે કોરોનાના સમયગાળામાં ખડે પગે મહેનત કરી અને સરકારનું નાક સાચવી રાખેલું હેપી માંગણીઓના પ્રશ્ને સરકારની નિર્ભરતા યોગ્ય નથી