Gujarat Farmers Relief Package: ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય – ખેડૂતો માટે રૂ.10,000 કરોડનું રાહત પેકેજ જાહેર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

Gujarat Farmers Relief Package: 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ થશે.

Gujarat Farmers Relief Package: ગુજરાતના ખેડૂતો માટે શુક્રવારનો દિવસ આશાની કિરણ લઈને આવ્યો હતો. કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લામાં પાકને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે અંતે ખેડૂતોને રાહત આપતી ઐતિહાસિક જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું છે કે ધરતીપુત્રોની આ મુશ્કેલ ઘડીએ સરકાર તેમની સાથે ખભે ખભો મિલાવીને ઉભી છે અને ખેડૂતોના હિત માટે રૂ.10,000 કરોડનું રાહત સહાય પેકેજ અમલમાં મુકવામાં આવશે.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર લખ્યું કે, “ગુજરાતમાં આ વર્ષે ગત બે દાયકામાં ન જોવા મળેલો કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક જિલ્લાઓના ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. અમે પ્રત્યક્ષ રીતે ગામસ્તર પર જઈને ખેડૂતોની વ્યથા જાણી છે અને હવે રાજ્ય સરકારે તેમના આર્થિક પુનઃસ્થાપન માટે મોટું પગલું ભર્યું છે.”

Gujarat Farmers Relief Package

- Advertisement -

તેમણે જણાવ્યું કે કુદરતી આફતની આ ઘડીમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની સાથે છે. “આપણા અન્નદાતાઓને આર્થિક ટેકો આપવા માટે રૂ.10 હજાર કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે,” એમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે 9 નવેમ્બરથી રાજ્યભરમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ થશે. આ માટે આશરે રૂ.15,000 કરોડના ખર્ચનો અંદાજ છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “અન્નદાતાઓની આર્થિક સુખાકારી માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ રહી છે અને રહેશે.”

- Advertisement -

ગત મહિને પડેલા અસમયે વરસાદના કારણે પાકના નાશ પછી રાજ્ય સરકારે 4800થી વધુ ટીમો બનાવીને યુદ્ધના ધોરણે સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેના આધારે ખેડૂતોને સહાય વધુ ઝડપથી મળી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા વિશેષ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કૃષિમંત્રી જિતુ વાઘાણી દ્વારા તૈયાર કરાયેલ સર્વે રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા બાદ આ ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે.

આ નિર્ણયથી હજારો ખેડૂતોને આશાની કિરણ મળી છે, જ્યારે સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કુદરતી આફતો વચ્ચે પણ ગુજરાતના ખેડૂતો એકલા નથી — સરકાર તેમની સાથે છે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.