Gujarat Peanut Crop: અમરેલીના ખેડૂતની વ્યથા – મગફળી કાઢવાના પૈસા ન હોવાથી પાથરાને આગ ચાંપી

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

Gujarat Peanut Crop: વરસાદ અને નાણાકીય તંગીને કારણે અમરેલીના ખેડૂતો મગફળીનો પાક સળગાવવા મજબૂર – સહાય ન મળતા ખેડૂતોમાં નિરાશા.

Gujarat Peanut Crop: અમરેલી જિલ્લામાં તાજેતરના પડેલા ભારે વરસાદે અનેક ખેડૂતોના સપનાઓ તોડી નાંખ્યા છે. સાવરકુંડલા તાલુકાના શાંતિનગર અને જાબાળ ગામોમાં મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. જાબાળાના ખેડૂત મુકેશ ભેસાણિયા અને માવજીભાઈ કાનાણી જેવા ઘણા ખેડૂતોનું કહેવું છે કે, વરસાદે પાક નષ્ટ કરી દીધો છે અને હવે કાપણી અથવા મજૂરી માટે પણ પૈસા બાકી નથી.

નાણાકીય તંગી અને ઉપાય વિનાની પરિસ્થિતિ

મુકેશ ભેસાણિયાએ જણાવ્યું કે તેમણે લગભગ 10 વીઘામાં મગફળી વાવી હતી, જેમાં 90 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ સતત 10 દિવસના વરસાદે પાક બગાડી નાખ્યો. હવે મગફળી ઉપાડવાનો ખર્ચ પણ સહન ન કરી શકાય તેવો બની ગયો છે. ચારો પણ ખતમ થઈ ગયો છે અને આવકનો કોઈ સ્ત્રોત નથી. અંતે તેમણે ભારે હૈયે મગફળીના પાથરા સળગાવી નાખ્યા.

Gujarat Peanut Crop 2

- Advertisement -

માવઠાએ ખેડૂતોની મહેનત રાખી ધૂળમાં

સારા પાકની આશા રાખીને મહેનત કરનારા ખેડૂતો માટે અસમયે વરસાદ વેર ઝેર સમાન સાબિત થયો છે. માવજીભાઈ કાનાણીએ જણાવ્યું કે સરકાર મગફળીની ખરીદીમાં પૂરતું ધ્યાન આપતી નથી. હાલ 200 મણ સુધીની ખરીદીની મર્યાદા છે, જેને વધારવાની માંગ છે. ખેડૂતોના આક્રોશને સમજવા અને તેમની સહાય માટે સરકારને આગળ આવવું જરૂરી છે.

“મગફળી ઉપાડવા પૈસા નથી…” – ખેડૂતોનો આક્રંદ

કેટલાક ખેડૂતોનું કહેવું છે કે મજૂરોને આપવાના પૈસા પણ ખૂટ્યા છે. “હજારો રૂપિયા ખર્ચ્યા છતાં હાથમાં કશું આવ્યું નહીં,” એમ એક ખેડૂતે આક્રંદ કર્યો. હવે શિયાળુ વાવેતર શરૂ કરવા માટે પણ નાણાકીય સંકટ છે, જેના કારણે અનેક ખેડૂતો નિરાશામાં છે.

- Advertisement -

Gujarat Peanut Crop 1

સરકારે ખેડૂતો માટે તરત સહાયની જરૂર

ખેડૂત સંઘોએ માંગ કરી છે કે વરસાદથી નુકસાન પામેલા મગફળીના પાક માટે તાત્કાલિક સર્વે કરીને સહાય ફાળવવી જોઈએ. સાથે સાથે, સરકાર ખરીદીની મર્યાદામાં રાહત આપે અને નવા વાવેતર માટે બીજ અને ખાતર પર સહાય આપે તેવા આગ્રહો ઉઠ્યા છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.