રાજ્યમાં માલધારી સમાજ એક થયો છે અને અડાલજ પાસેના શેરથા ખાતે મળેલા માલધારી વેદના સભા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં માલધારીઓ ઉમટી પડ્યા હતા. જેમાં માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો આ સભામાં ઉમટ્ય છે.
સભામાં ગર્જના થઈ કે જો આપણી માંગણી પુરી નહીં થાય, તો રાજકોટથી આગળ કોઈની ગાડી જવા નહીં દઈએ એટલી તાકાત આ સમાજમાં છે
સમાજના પ્રવકતા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે સરકાર ઢોર અંકુશ નિયંત્રણ કાયદો જે વર્ષ 2022 માં લાવી છે તે કાયદો સરકારી પડતર જમીન અંગે ગૌચરો, તળાવો તેમના માન્યતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું બિલ છે પ્રજાજનોને સરકાર ગુમરાહ કરી રહી છે કે ઢોર રસ્તા ઉપર આવતા પશુઓથી અકસ્માત થાય છે તે અંગેનો ઢોર અંકુશ નિયંત્રણ બિલ છે જે ખરેખર તો ખુદ માલધારી સમાજ વારંવાર રજૂઆત કરે છે કે રસ્તા ઉપર પશુઓથી નિર્દોષ લોકોના અકસ્માત થાય છે તે વાજબી નથી.
કોર્પોરેશનની ઢોર પકડવાની કામગીરી યોગ્ય છે પરંતુ સરકાર બેધારી નીતિ રાખીને એક બાજુ માલધારીઓને પશુઓ વગર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, બીજી બાજુ નિર્દોષ રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડે છે. સાથે સાથે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા ગાયો ડબ્બામાં પૂરવામાં આવે છે તે ગાયો નીતિ-નિયમ મુજબ દંડ લઈને છોડવામાં આવતી નથી. જે ગાયો કોર્પોરેશનના ડબ્બામાં ભૂખથી મોતને ભેટી રહી છે અને તેનાં નાનાં બચ્ચાં ગાયના દૂધ વગર ઘરે જ મૃત્યુ પામી રહ્યાં છે. આવા સંજોગોમાં ન્યાય નહિ મળેતો આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે.